________________
ઉત્તમ બ્રહ્મચર્ય) *
૧૫૧ આજે બ્રહ્મચર્યનો જે અર્થ સમજવામાં આવે છે તે અત્યંત સ્થળ છે. આજે તો માત્ર સ્પર્શેન્દ્રિયના વિષય સેવનના ત્યાગરૂપ વ્યવહાર બ્રહ્મચર્ય ને જ બ્રહ્મચર્ય માનવામાં આવે છે. સ્પર્શેન્દ્રિયના પણ સંપૂર્ણ વિષયોના ત્યાગને નહીં, માત્ર એક ક્રિયાવિશેષ (મૈથુન) ના ત્યાગને જ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે, જયારે સ્પર્શેન્દ્રિયના ભોગો તો અનેક પ્રકારે સંભવિત છે.
સ્પર્શેન્દ્રિયના વિષયો આઠ છે – - ૧. ઠંડો, ર. ગરમ, ૩. કઠોર, ૪. નરમ, ૫. લૂખો, દ. ચીકણો, ૭. હલકો અને ૮. ભારે. - આ આઠેય વિષયોમાં આનંદનો અનુભવ કરવો એ સ્પર્શેન્દ્રિયના વિષયોનું જ સેવન છે. ઉનાળાની ગરમીમાં કૂલર અને શિયાળાની ઠંડીમાં હીટરના સાધનો દ્વારા આનંદ અનુભવનો એ સ્પર્શેન્દ્રિયનો જ વિષય–ભોગ છે. એ જ પ્રમાણે ડનલપની નરમ ગાદી કે કઠોર આસનોના પ્રયોગમાં આનંદ માણવો તથા લૂખા-ચીકણા અને હલકા-ભારે સ્પર્શીમાં સુખની અનુભૂતિ – આ બધા સ્પર્શેન્દ્રિયના વિષયો છે. પરંતુ પોતાને બ્રહ્મચારી માનવાવાળાઓએ શું કદીય આ વાત પ્રતિ પણ ધ્યાન આપ્યું છે આ બધા સ્પર્શેજિયના વિષયો છે, આપણે એમાં પણ સુખબુદ્ધિનો ત્યાગ કરવો જોઈશે, એ બધાથી પણ વિરકત થવું જોઈએ.
એથી એ સિદ્ધ થાય છે કે આપણે સ્પર્શેન્દ્રિયના સર્વ ભોગોને બ્રહ્મચર્ય ના ઘાતક નથી માનતા, પરંતુ એક ક્રિયાવિશેષ (મૈથુન) ને જ બ્રહ્મચર્યની ઘાતક માનીએ છીએ; ઓ ગમે તેમ માત્ર એનાથી બચીને પોતાને બ્રહ્મચારી માની લઈએ છીએ.
જો આત્મલીનતા એ જ બ્રહ્મચર્યનું વાસ્તવિક સ્વરૂપ છે, તો શું સ્પર્શેન્દ્રિયના વિષયો જ આત્મલીનતામાં બાધક છે અને અન્ય ચાર ઈન્દ્રિયોના વિષયો શું આત્મલીનતામાં બાધક નથી? જો છે તો એમનો પણ ત્યાગ બ્રહ્મચર્યમાં અપેક્ષિત હોવો જોઈએ. શું રસના–ઈન્દ્રિયના સ્વાદ વેળા આત્મ–આનંદનો સ્વાદ આવે ખરો? એ જ પ્રમાણે સિનેમા જોતી વખતે શું આત્મા જણાય ખરો? નહીં જ નહીં, કદાપિ નહીં. " આત્માં ભલે કોઈ પણ ઈન્દ્રિયના વિષયમાં મગ્ન હોય, તે સમયે આત્મલીનતા થવી સંભવિત નથી. જયાં લગી પાંચેય ઈન્દ્રિયોના વિષયો પ્રતિ પ્રવૃત્તિ થંભે નહીં ત્યાં લગી આત્મલીનતા ન થાય અને જયાં લગી