SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ધર્મનાં દશ લક્ષણ) પરિગ્રહ–પરિમાણધારીને તો જીવનપયોગી પરિમિત વસ્તુઓની આવશ્યકતા છે, ભલે પછી એની કિંમત ગમે તે હોય, પરિગ્રહ–પરિમાણધારીઘરમાં જ રહે છે, તેથી એને બધું જોઈએ – ધન-ધાન્ય, ક્ષેત્ર-મકાન, વાસળ ઈત્યાદિ. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કેમકે કોઈપણ પરિગ્રહ-પરિમાણધારી ઘરમાં રહેવા ઈચ્છતો નથી. તે પોતાને ગૃહસ્થ નહીં, સાધુ સમજે છે; જયારે અણુવ્રત ગૃહસ્થોને હોય છે, સાધુઓને નહીં. એણે બનાવીને જ નહીં, કમાઈને ખાવું જોઈએ, પરંતુ કમાઈ ને ખાવાની વાત તો ખૂબ દૂર, તે બનાવીને પણ ખાવા ઈચ્છતો નથી. તે પોતાના ઘરમાં નહીં, ધર્મશાળાઓમાં રહે છે, અને પોતાનો સઘળો બોજો સમાજ પર નાખે છે. તેથી હવે તેને ન મકાનની આવશ્યકતા રહી છે અને ન ધન-ધાન્યાદિની. આ કારણે જ તે પરિગ્રહ–પરિમાણ પણ રૂપિયા-પૈસામાં કરવા લાગેલ છે. ભારે વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. એક અણુવતીએ મને કહ્યું, “મારે આપની પાસે મારી એક શંકાનું સમાધાન એકાંતમાં કરવું છે.” જયારે મેં કહ્યું – “તત્વચર્ચામાં એકાંતની શું જરૂર છે?” તો તે બોલ્યા, – કાંઈક વ્યકિતગત વાત છે. એકાન્ત માં બોલ્યા – મારી એક મુશ્કેલી છે, એનું સમાધાન આપની પાસે ઈચ્છું છું. વાત એમ છે કે મેં પાચં હજારનું પરિગ્રહ-પરિમાણવ્રત લીધું હતું, જયારે પરિમાણ કર્યુ કતું ત્યારે મારી પાસે એટલા પણ પૈસા ન હતા, ન પ્રાપ્ત થવાની સંભાવના હતી. પરંતુ પાછળથી પૈસા મળ્યા અને વ્યાજ પણ વધતું ગયું. ખર્ચ તો કાંઈ હતું નહીં, લગભગ દશ હજાર થઈ ગયા. હું ખૂબ પરેશાની અનુભવવા લાગ્યો, તેથી મેં મારા એક સાથી વ્રતી બ્રહ્મચારી સાથે ચર્ચા કરી તો એમણે કહ્યું કે તમે કાંઈ સમજતા તો નથી. એમાં શું થયું? જયારે તમે વ્રત લીધું હતું તે સમય કરતાં આજે રૂપિયાની કિંમત અડધી થઈ ગઈ છે. તેથી દશ હજાર રાખવામાં કાંઈ અનુચિત નથી. એમની વાત મારી રૂચિને અનુકૂળ હોવાથી મેં સ્વીકારી લીધી. પરંતુ હવે રૂપિયા વિશેષ વધી રહ્યા છે, બાર-તેર સુધી પહોંચી ગયા છે. હવે શું કરવું એ મારી સમજમાં આવતું નથી. ઉપરોકત તર્કના આધારે મેં મર્યાદા વધારી દીધી હતી, અને હમણાં પણ વધારી શકે છે; પરંતુ કોણ જાણે કેમ મારું હૃદય આ વાત સ્વીકારવા તૈયાર નથી.” - એમની વાતનો તત્કાળ તો હું કોઈ ઉત્તર ન આપી શકયો, પરંતુ આ
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy