________________
પ્રકાશકીય
પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર દ્વારા પ્રકાશિત ડો. હુકમચંદજી ભારિત્ન ની લોકપ્રિય કૃતિ “ધર્મના દશ લક્ષણ’ નું ગુજરાતી ભાષામાં આ નવીન સંસ્કરણ પ્રકાશિત કરતા અમને અત્યન્ત પ્રસન્નતાનો અનુભવ થાય છે. - દશલક્ષણ મહાપર્વ એકમાત્ર એવું પર્વ છે, જે પરમોદાત્ત ભાવનાઓનું પ્રેરક, વીતરાગતાનું પોષક અને સંયમ વ સાધનાનું પર્વ છે. સંપૂર્ણ ભારતવર્ષનો જૈન સમાજ અને દર વર્ષે બહુજ ઉત્સાહથી મનાવે છે. દશ દિવસ સુધી ચાલવા વાળા આ મહાપર્વ ના અવસર ઉપર ઘણા ધાર્મિક આયોજન થાય છે, જેમાં વિદ્વાનોના ઉત્તમક્ષમાદિ દશધર્મો પર વ્યાખ્યાન પણ આયોજિત કરવામાં આવે છે. બધીજ જગ્યા એ સુયોગ્ય વિદ્વાનોનું પહોચવું સંભવ નથી, અતઃ જેવું ગંભીર અને માર્મિક વિવેચન આ ધર્મોનું થવું જોઈએ, તેવું સહજ સંભવ નથી થઈ શકતું.
. . . * પૂજ્ય શ્રી કાનજીસ્વામી દ્વારા જે અધ્યાત્મની પાવન ધારા પ્રવાહિત થઈ છે, એણે જૈન સમાજમાં એક આધ્યાત્મિક ક્રાન્તિ ઉત્પન્ન કરી દીધી છે. એમના ઉપદેશોથી પ્રભાવિત થઈ લાખો જણ આત્મહિતની તરફ વળે છે. સેંકડો આધ્યાત્મિક પ્રવક્તા વિદ્વાન તૈયાર થઈ ગયા છે. જે દરેક વર્ષે આ અવસર ઉપર પ્રવચનાર્થ બાહર જાય છે. - આ પુસ્તકના લેખક ડો. હુકમચંદજી પણ આ ઉચ્ચકોટિના વિદ્વાનોમાંથી
એક છે, એમને પૂજ્ય સ્વામીજીથી સન્માર્ગ મળેલ છે. દશલક્ષણ પર્વ પર દરેક વર્ષ જયાં પણ જાય છે, ત્યાં દશ ધર્મો ઉપર એમના માર્મિક વ્યાખ્યાન પર આબાલ-ગોપાલ બધાજ સીમાતીત પ્રભાવિત થતા રહે છે.
અનેક આગ્રહો-અનુરોધોના બાવજુદ અને એમના પોતાના વિચાર હોવા છતાયે એ વ્યાખ્યાન નિબદ્ધ ન થઈ શક્યા. પણ સન્ ૧૯૭૬માં ડૉ. ભારિલ્લજીના