________________
૧૦૮
ધર્મનાં દશ લક્ષણ) ગયું તેની બે–ચાર પંકિતઓ ઊભા-ઊભા વાંચી લીધી એટલે સ્વાધ્યાય થઈ ગયો! તે પણ એટલા માટે કે મહારાજે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે પ્રતિદિન સ્વાધ્યાય અવશ્ય કરવો, – આ કાંઈ સ્વાધ્યાય નથી.
આપણને અધ્યાત્મગ્રંથોના સ્વાધ્યાયની એવી રુચિ પણ કયાં છે જેવી વિષય-કષાય અને એની પુષ્ટિ કરનારા સાહિત્ય વાંચવાની છે. એવા બહું ઓછો લોકો હશે જેમણે કોઈ આધ્યાત્મિક, સૈદ્ધાત્તિક કે દાર્શનિક ગ્રંથનો સ્વાધ્યાય આઘોપાત્ત કર્યો હોય. સાધારણ લોકો તો નિયમિતપણે સ્વાધ્યાય કરતા જ નથી. પરંતુ એવા વિદ્વાનો પણ બહુ ઓછા મળશે કે જેઓ કોઈ મહાન ગ્રંથનો સ્થિરતાપૂર્વક અખંડપણે સ્વાધ્યાય કરતા હોય. આદિથી અંત સુધી અખંડપણે આપણે કોઈ ગ્રંથને જો વાંચી પણ શકતા ન શોહોએ તો એના અંતઃસ્તલમાં પહોચવું તો કેમ સંભવે? જયારે આપણામાં એટલી પણ રુચિ નથી કે તેને અખંડપણે વાંચી શકીએ તો એમાં પ્રતિપાદિત અખંડ વસ્તુનું અખંડ સ્વરૂપ આપણાં જ્ઞાન અને પ્રતીતિમાં કેમ આવે? .
વિષય–કષાયનાં પોષક ઉપન્યાસાદિને આપણે કદીય અધૂરાં નહીં છોડયાં હોય, એમને પૂરાં કરીને જ આપણે શ્વાસ લઈએ છીએ; એની પાછળ ભોજન પણ ભૂલી જઈએ છીએ. શું આધ્યાત્મિક સાહિત્યના અધ્યયનમાં પણ કોઈવાર ભોજન ભૂલ્યા છીએ? જો ના, તો નિશ્ચિત સમજો કે આપણ રુચિ અધ્યાત્મમાં એટલી નથી જેટલી વિષય–કષાયમાં
(રુચિ અનુયાયી વીર્ય) ના નિયમ અનુસાર આપણી સંપૂર્ણ શકિત ત્યાં જ લાગે છે જયાં રુચિ હોય છે. સ્વાધ્યાયતપના ઉપચારને પણ પ્રાપ્ત કરવા માટે આપણે અધ્યાત્મ-સાહિત્યમાં અનન્ય રુચિ જાગૃત કરવી પડશે.
સ્વાધ્યાય તપના પાંચ ભેદો કરવામાં આવ્યા છે :
(૧) વાંચવું, (ર) પૂછવું, (૩) અનુપ્રેક્ષા, (૪) આમ્નાય (પાઠ) અને (૫) ધર્મોપદેશ.
આમાં સ્વાધ્યાયની પ્રક્રિયાનો ક્રમિક વિકાસ લક્ષિત થાય છે.
પહેલાં તત્વનિરૂપક આધ્યાત્મિક ગ્રંથોને વાંચવા અને પોતાની બુદ્ધિથી જેટલો પણ મર્મ કાઢી શકાય તેટલો પૂરી શકિતથી કાઢવો.એ વાંચન સ્વાધ્યાય” છે.