SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમસંયમ) ૮૯ જયારે મેં કહ્યું —“હોય તો છે.’’ તો કહેવા લાગ્યા “એમનું આયુષ્ય કેટલું હોય છે ?” “‘એક શ્વાસના અઢારમાં ભાગ જેટલુ’ આ ઉત્તર સાંભળીને તે બોલ્યા – જયારે એમનું આયુષ્ય જ એટલું અલ્પ છે તો એ તો પોતાના આયુષ્યની સમાપ્તિ થતાં જ મરતા હશે, અમારા ખાવાથી તો મરતા નથી. તો પછી એ ખાવામાં શું દોષ છે ?’’ - મેં કહ્યું – “ભાઈ ! જરા વિચાર તો કરો ! ભલે એ પોતાના આયુષ્યની સમાપ્તિ થવાના કારણે મરતા હોય, પરંતુ મરે છે તો તમારા મોંમાં; અને જન્મ પણ ત્યાં જ લે છે. થોડા સ્વાદને માટે અનંત જીવોનું મડદાઘર અને પ્રસુતિઘર તમારા મોંને અને પેટને શા માટે બનાવો છો ? કદાચિત્ કોઈ તમારા ઘરને પ્રસૂતિગૃહ બનાવવા ઈચ્છે વા કબ્રસ્તાન બનાવવા ઈચ્છે તો શું સહજ સ્વીકારી લેશો ?’’ “ના.” “તો પછી પેટને અને મોંને શા માટે બનાવો છો ?’’ તો એ કહેવા લાગ્યા “અમે એકને મારતા તો નથી, તે સ્વયં મરી જાય છે.” - ત્યારે પ્રેમથી સમજાવતાં મેં કહ્યું આપના ધરમાં કોઈને મારીને તો નહીં બાળીએ, પોતાના મોતે મરે તેમને જ બાળીશું, તથા અવૈધ (ગેરકાયદે—જન્મેલા) બાળકોને નહીં પણ વૈધ (કાયદેસાર–જન્મેલા) બાળ કોને જન્મ આપવાવાળી પ્રસૂતાઓને જ રાખીશું. ત્યારે તો આપને કોઈ વાંધો નહીં હોય ? - જો હોય તો પછી સ્વયં મૃત અને જન્મ લેવાવાળા જીવોનું મરણસ્થાન અને જન્મસ્થાન પોતાના મોંને શા માટે બનાવવા ઈચ્છો છો ? ભાઈ ! રાગની તીવ્રતા અને અધિકતા એ જ મહાહિંસા છે, તેથી હિંસામૂલક અને ઇંદ્રિયોની લોલુપતારૂપ એવા અસેયમને છોડી જ દેવા જોઈએ.” આ વાત સાંભળીને એ ભાઈએ તો અભક્ષ્ય-ભક્ષણ છોડી જ દીધું. બીજા પણ અનેક લોકોએ હિંસામૂલક અને ઈંદ્રિય-નૃદ્ઘતારૂપ
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy