________________
૭૬
ધર્મનાં દશ લક્ષણ) કહીએ છીએ કે અમુક વસ્તુ ખોવાઈ ગઈ છે. પરંતુ વસ્તુ ખોવાઈ છે કે એનું જ્ઞાન ખોવાયું છે. વસ્તુ તો જયાં રાખી હતી ત્યાં હમણાં પણ પડી છે. વસ્તુને નહીં, એના જ્ઞાનને ખોળવાનું છે.
અસત્ય કાં તો વાણીમાં હોય છે વા જ્ઞાનમાં વસ્તુમાં નહીં. વસ્તુમાં અસત્યની સત્તા જ નથી. વસ્તુને આપણા જ્ઞાન અને વાણીને અનુરૂપ બનાવી શકાયી નથી અને બનાવવાની આવશ્યકતા પણ નથી. આવશ્યકતા આપણાં જ્ઞાન અને વાણીને વસ્તુસ્વરૂપને અનુરૂપ બનાવવાની છે. જયારે જ્ઞાન અને વાણી વસ્તુસ્વરૂપને અનુરૂપ થશે ત્યારે તે સત્ય હશે. જયારે આત્મા સસ્વભાવી આત્માના આશ્રયે વીતરાગ પરિણતિને પ્રાપ્ત થશે ત્યારે તે સત્યધર્મનો સ્વામી બનશે. જેટલા અંશે પ્રાપ્ત થશે તેટલા અંશે સત્યધર્મનો સ્વામી થશે.
વાણીની સત્યતા માટે વાણીને વસુસ્વરૂપને અનુકૂળ ઢાળવી જોઈશે. સત્ય બોલવા માટે સત્ય જાણવું જરૂરી છે. સત્યને જાણ્યા વિના સત્ય કેમ બોલી શકાય?
ઘણાખરા લોકો કહે છે કે એમાં શું છે? જેવુ જોયું, જાણું, સાંભળ્યું–તેવું જ કહી દીધું એ સત્ય છે. આના આધારે તેઓ કહે છે કે સત્ય બોલવું સહેલું છે પણ જૂઠું બોલવું કઠણ, કેમકે એમને અનુસારે સત્ય બોલવામાં શું છે– જેવું દેખ્યું, જાણું, સાંભળ્યું તેવું જ કહી દીધુંપરંતુ જૂઠું બોલવા માટે યોજના બનાવવી પડે છે, ધરમાં બધા લોકોને તાલીમ આપવી પડે છે કે જેથી જૂઠ પ્રગટ ન થઈ જાય. એક જૂઠની પાછળ હજાર જૂઠાણા બોલવા પડે છે, છતાં પણ તે પ્રગટ થઈ જવાની શંકા તો બની જ રહે છે.
જેમકે-કોઈએ દરવાજો ખખડાવ્યા–વા ફોનની ધંટડી વાગી. દરવાજો ખોલતાં જ અથવા ફોનનું રિસીવર ઉઠાવતા જ સામાવાળાએ પૂછયું, અમુક વ્યકિત છે? જો સાચું કહેવું હોય તો તરત જ કહી દેવાય છે કે નહીં પરંતુ જો જૂહ કહેવું હોય તો જોઉ, આપ કોણ છો? શું કામ છે?' ઈત્યાદિ લાંબી પ્રશ્ન-માળા એની સામે રજૂ કરવી પડશે, અને અંદર પૂછીને ઉત્તર આપવામાં આવશે. જો બાળક અથવા નોકર જૂઠ બોલવામાં હોશિયાર ન હોય તો એમ પણ કહી દેશે કે પિતાજીએ કહ્યું છે યા સાહેબે કહ્યું છે કે ઘરે નથી એમ કહી દો. કદાચિત્ એણે બરાબર કહી પણ દીધુ કે “નથી', તોપણ કોઈ અન્ય દ્વારા કોઈવાર વાત પ્રગટ પણ થઈ શકે છે. તેથી એમને અનુસાર સત્ય બોલવું સરળ છે પણ જુઠ બોલવું કઠણ.