SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારશક્તિ ખીલવવાની ક્રિયા ૩૯૧ ફરિયાદ આવે છે કે અમે સારા વિચાર કરવા બેસીએ છીએ પણ કાંઈ વિચાર આવતા નથી, અથવા ખરાબ વિચારા આવી પહેાંચે છે. વગર તેડ્યા તેઓએ સમજવુ જોઇએ કે દેઢ આગ્રહપૂર્વક નિર તર અભ્યાસથી જ માત્ર વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચાર પછી સારા હોય કે નઠારા હોય; સારા વિચારથી સારા વિચારની અને ખરાબ વિચારથી ખરાબ વિચારની શક્તિ વૃદ્ધિ પામે છે. વિચારની અધિકતા ઉપર મનના પ્રવાહની વૃદ્ધિના આધાર છે અને વિચારના ગુણુ ઉપર તે ગુણની દ્દઢતાને આધાર રહે છે. મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હાય તેમણે નિર'તર નિયમિત રીતે મનન કરવાના અભ્યાસ કરવા અને પેાતાની માનિસક શક્તિએ સુધારવાના નિશ્ચય લક્ષમાં રાખવા. આ અભ્યાસ પૂર્ણ ફળદ્દાયક થાય તે માટે પેાતાને અધ્યાત્મિક આદિ જે વિષય પ્રિય હાય, એવા કેાઇ વિષયના સંખ‘ધમાં કાઈ ઉત્તમ પુરુષે લખેલું અને જેની અંદર નવીન પ્રબળ વિચારા દાખલ થયા હાય તેવું એક પુસ્તક લેવું. તેમાંથી થોડાં વાકયો હળવે હળવે વાંચવાં. પછી વાંચેલ વાકયો ઉપ૨ દ્દઢતાથી, આસક્ત ચિત્તથી વિચાર કરવા. જેટલા વખતમાં તે વાકો વાંચ્યાં હેાય તેથી બમણા વખત સુધી વિચાર કરવા. વાંચવાનું કારણ નવા વિચારે મેળવવાનું નથી પણ વિચાર શક્તિ પ્રખળ કરવાનુ છે. શરૂઆતમાં અડધી ઘડી વાંચવાનુ ખસ છે, કારણ કે વધારે વખત વાંચવાથી દૃઢતાથી ધ્યાન આપવાનું કા આર'ભમાં જરા વિશેષ પરિશ્રમ આપનાર છે. કેટલાક મહિના સુધી આવે! નિયમિત અભ્યાસ કરનારને માનસિક બલમાં સ્પષ્ટ વધારા થયેલેા માલુમ પડે છે અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે નવીન વિચારા કરી શકે છે. આ સર્વે વિચારાની ઉત્પત્તિનું મૂલ આપણા આત્મા છે. સત્તામાં રહેલી શક્તિએ આવા વિચારા દ્વારા બહાર આવે છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy