________________
१४
યેગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ સુંઘવું કે સ્પર્શવું તેની કાંઈ પણ ખબર ન પડે અને જાણે પાષાણની ઘડેલી મૂર્તિ હોય તેમ સ્થિરતાપૂર્વક ધ્યાનમાં મગ્ન રહે. આવી સ્થિરતા અ૯પ સત્ત્વવાળાને ન હેય માટે તે અધિકારી નથી. ૩.
(અહીં શિષ્ય શંકા કરે છે કે પૂર્વધરે અને વજઋષભનારાચ સંઘયણવાળા જ છે જે સુફલધ્યાનના અધિકારી છે. તે હમણાનાં સેવા (છેલ્લા) સંઘેણવાળા જીવે આગળ તે ધ્યાનના સ્વરૂપને કહેવાની શી જરૂર છે? આચાર્ય શ્રી ઉત્તર આપે છે)
अनवच्छित्याम्नायः समागतोऽस्येति कीयतेऽस्माभिं । दुष्करमप्याधुनिकैः शुक्लध्यानं यथाशास्त्रम् ॥ ४ ॥
જુઓ કે, જેવી રીતે શાસ્ત્રમાં કહ્યું છે તેવી રીતે, શુફલ. ધ્યાન ધ્યાવવું એ અત્યારના છ માટે દુષ્કર છે, તથાપિ આ શુક્લધ્યાનના સંબંધમાં પરંપરાએ જે આમ્નાય ચાલ્યો આવે છે અર્થાત્ પરંપરાએ શુકલધ્યાનનું જે સ્વરૂપ ચાલ્યું આવ્યું છે તે, વિરછેદ ન થઈ જાય માટે તે પ્રમાણે હું કહું છું. ૪.
શુકલધ્યાનના ભેદ કહે છે ज्ञेयं नानात्वश्रुतविचारमैक्यश्रुताविचारं च । सूक्ष्मक्रियमुत्सन्नक्रियमिति भेदैश्चतुर्धा तत् ॥ ५ ॥
૧. પૃથફવદ્યુત વિચાર, ૨. અપૃથફવકૃત અવિચાર, ૩. સૂક્ષમ ક્રિયા અપ્રતિપાતિ, ૪. ઉચ્છિન્નક્રિયા અનિવૃત્તિ એમ ચાર ભેદે કરી તે શુકલધ્યાન જાણવું. ૫.
શુલધ્યાનને પહેલે ભેદ एकत्र पर्ययाणां विविधनयानुसरणं श्रुताद् द्रव्ये । अर्थव्यञ्जनयोगान्तरेषु संक्रमणयुक्तमायं तत् ॥ ६ ॥
એક પરમાણવાદિદ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, વિલય અને મૂર્ત ત્યાદિ પર્યાનું, દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નએ કરી, પૂર્વ ગત શ્રુતાનુસારે ચિંતન કરવું. તે ચિંતન દ્રવ્ય, શબ્દ તથા મન, વચન, કાયાના ચેગાંતરમાં સંક્રમણરૂપ હોવું જોઈએ. જેમકે એક દ્રવ્યના