SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દશમ પ્રકાશ રાગ દ્વેષાદિથી થતાં કષ્ટોને વિચાર કરવાથી, આ જન્મ તથા ભાવજન્મમાં થવાનાં અપાય (દુઃખ કો) ને પરિહાર (ત્યાગ) કરવામાં તત્પર થવાય છે અને પછી સર્વથા પાપ કર્મોથી નિવૃત્ત થાય છે. (માટે શુભ યા અશુભ દરેક ક્રિયાનું પરિણામ શું આવે છે અને આવશે, તે સંબંધી ઘણી બારીકતાથી વિચાર કરે જોઈએ.) ૧૧. વિવેચન–જેઓએ જિનેશ્વરના માર્ગને સ્પર્શ કર્યો નથી, પરમાત્મ સ્વરૂપ જાણ્યું નથી અને યતિમાર્ગ (નિવૃત્તિ માર્ગ) સંબંધી વિચાર પણ કર્યો નથી, તેઓને હજારો જાતનાં કષ્ટ આવી પડે છે. આ દુનિયાની માયાને મેહમાં જેઓનું ચિતન્ય પરાધીન થઈ ગયું છે, તેવા અજ્ઞ એ શું અકાર્યો નથી કર્યા? અને કેવાં કેવાં કષ્ટ નથી પામ્યા ? અર્થાત્ સર્વ અકાર્યો કર્યા છે, અને સર્વ જાતનાં દુઃખોને અનુભવ કર્યો છે. દરેક એ વિચારવું જોઈએ કે, જે જે દુખે નર્કમાં, તિર્યામાં અને મનુષ્યમાં, અમે પામ્યા છીએ, તેમાં ખરેખર અમારો જ પ્રમાદ છે. અરે સમ્યકત્વ પામ્યા જેવી સ્થિતિ મેળવ્યા છતાં પણ મન, વચન અને કાયાથી કરાયેલાં દુષ્કર્મોથી, અમે અમારે હાથે જ શરીરમાં અગ્નિ સળગાવી દુઃખી થયા છીએ. હે આત્મન ! મેક્ષમાર્ગ સ્વાધીન છતાં, તે માગને મૂકી દઈ, કુમાર્ગની શોધમાં પ્રવેશ કરી તે પોતે જ પોતાના આત્માને કષ્ટમાં નાંખે છે. જેમ સુકાળ સુભિક્ષના વખતમાં, અથવા સ્વતંત્ર રાજ્ય મળ્યાં છતાં મૂખ લેકે ભિક્ષા માગતા ફરે છે, તેમ મેક્ષમાર્ગ પિતાને સ્વાધીન છતાં, મારા જેવા મૂખ ભવમાં ભમ્યા કરે છે. આ પ્રમાણે પિતાના અને પરના સંબંધમાં અપાયની પરંપરાના કારણ સંબંધી વિચાર કરે અને હવેથી સાવધાન થવું તે અપાયવિચય ધ્યાન કહેવાય છે. વિપાકરિચય ધ્યાનનું સ્વરૂપ - પ્રતિક્ષાભૂતો, યત્ર જોવા . चिन्त्यते चित्ररूपः स, विपाकविचयो मतः ॥ १२॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy