________________
૩૪
અથશબ્દરૂપી સમુદ્રને ઉલ્લાસમાન કરનાર હેમચંદ્ર મુનિની બુદ્ધિની કેટલી સ્તુતિ કરીએ, કારણ કે તેણે એકલાએ જ શબ્દાનુશાસન રચ્યું છે. વળી તેમના વ્યાકરણનાં વખાણ કરતાં એક કવિ કહે છે કે
भ्रातः पाणिनि ! संवृणु प्रलपितं, कातंत्रकथा-कथा मा कार्षीः कटु शाकटायन ! वचः, क्षुद्रेण चांद्रेण किम् । कः कर्णाभरणादिभिर्बठरयत्यात्मानमन्यैरपि । श्रयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्ध हेमोक्तयः ॥
અર્થ–હે ભાઈ પાણિની ! હવે તું તારે પ્રલાપ સંકેલી દે, કાતંત્ર વ્યાકરણ તે કંથા જેવું છે (એટલે તેનું તે શું કહેવું?) હે શાકટાયન, તું તારા કટુવચન કાઢીશ જ નહિ, અને શુદ્ર ચાંદ્ર વ્યાકરણથી શું સયું? જ્યાં સુધી શ્રી સિદ્ધહેમની ઉક્તિમાં-સિદ્ધહેમ વ્યાકરણમાં અર્થની મધુરતા સંભળાય છે. ત્યાં સુધી કંઠા ભરણાદિ બીજા ગ્રંથે ભણી કે પુરુષ પિતાની બુદ્ધિને જડ કરે ? !
આ વ્યાકરણને સિદ્ધહેમ, સિદ્ધહેમ શબ્દાનુશાસન, હૈમવ્યાકરણ એવા નામથી ઓળખવામાં આવે છે. આ પર અનેક વિદ્વાનેએ હજાર લોક પ્રમાણવાળી ટીકાઓ લખી છે (નામ માટે જુઓ જૈન ગ્રંથાવલિ પૃ. ૨૯૯ થી ૩૦૩.) તે પરથી જણાશે કે તે કેવું અદભુત અને સારભૂત ઉમદા વ્યાકરણ હોવું જોઈએ. :
૨ અનેકાઈ નામમાળા (સશેષ) શ્લોક ૧૮૨૬. ૩ અનેકાર્થવૃત્તિ પણ શ્લોક ૬૦૩૦. ૪ અભિધાન ચિંતામણિ નામમાળા. શ્લેક ૧૫૯૧. પ , વૃત્તિ પજ્ઞ કલેક ૧૦૦૦૦. ૬ દેશી નામમાળા શ્લોક ૮૫૦. ૭ , વૃત્તિ (રત્નાવલી) . ૩૫૦૦. ૮ શેષનામમાળા લે. ૨૨૫. ૯ નિઘંટુશેષ. ૧૦ શિઊંછ નામમાળા