________________
૩૨૪
ગશાસ્ત્ર ભાષાંતર-સપ્તમ પ્રકાશ યોગ્ય થયેલું કહેવાય. અને જ્યારે પૂર્વે કહેલા નાસિકાગ્રભાગ વિગેરે પર સ્થાપન કરતાં સ્થિર નિર્મળ થઈ જેનું જેનું ધ્યાન કરવું હશે, તેનું તેનું ધ્યાન યથાર્થ થઈ શકશે. તે તે સ્વરૂપ પ્રત્યક્ષ થશે. એટલું જ નહિ પણ આત્મસ્વરૂપની પણ સન્મુખ થઈ અપૂવ આનંદ આપશે. ધારણાને એક અર્થ એવો છે કે તેને કેઈ દેશમાં બાંધવું, તે ઉપર પ્રમાણે બાહ્યાંતર વિષમાંથી પ્રત્યાહાર થતાં સહજ ધારણ થઈ શકે છે. ॥ इति श्री आचार्यहेमचन्द्र विरचिते योगशास्त्रे मुनि श्री केशर
વિજ્ઞાનિકૃત વાવવીધે પ્રારા !
સપ્તમ પ્રકાશ
ध्यान ધ્યાન કરવાને કમ બતાવે છે ध्यानं विधित्सता ज्ञेयं, ध्याता ध्येयं तथा फलम् । सिध्यन्ति न हि सामग्री, विना कार्याणि कहिंचित् ॥ १॥
ધ્યાન કરવાની ઈચ્છાવાળા મનુષ્યએ, ધ્યાન કરનારમાં કેવી યોગ્યતા હોવી જોઈએ ? જેનું ધ્યાન કરવું છે તે દયેય કેવું હોવું જોઈએ? અને ધ્યાન કરવાથી ફળ શું થાય ? આ ત્રણે ધ્યાતા, દયેય, અને ફળનું સ્વરૂપ જાણવું જોઈએ. કેમકે સંપૂર્ણ સામગ્રી મેળવ્યા સિવાય કઈ પણ વખત કાર્યો સિદ્ધ થતાં નથી. (માટે આચાર્યશ્રી પ્રથમ છ કલેકે વડે ધ્યાન કરનારનું લક્ષણ બતાવે છે.)
ધ્યાન કરનારનાં લક્ષણો . अमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम् । परमप्यात्मवत् पश्यन् , स्वस्वरुपापरिच्युतः ॥ २ ॥