________________
3०८
યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ બીજે ઠેકાણે જાય છે અને અગ્નિ મંડળમાં પ્રશ્ન કર્યો હોય તે તે મરણ પામે છે એમ કહેવું. ૨૩૪.
दहने युद्धपच्छायां, युद्धं भङ्गश्च दारुणः । मृत्युः सैन्यविनाशो वा, पवने जायते पुनः ॥ २३५ ॥
અગ્નિ મંડળમાં યુદ્ધ સંબંધી પ્રશ્ન કરે તે મહાયુદ્ધ થાય અને યુદ્ધમાં વૈરી તરફથી હાર મળે, પવન મંડળમાં પ્રશ્ન કરે તે (જેના સંબંધમાં પ્રશ્ન કરાયે હૈય) તેનું મરણ થાય અથવા સિન્યને વિનાશ થાય. ૨૩૫.
महेन्द्रे विजयो युद्धे, वरुणे वाञ्छिताधिकः । रिपुभङ्गेन सन्धिर्वा स्वसिद्धिपरिसूचकः ॥२३६ ॥ .
મહેંદ્ર મંડળમાં (પૃથ્વી તત્ત્વમાં) પ્રશ્ન કરે તે યુદ્ધમાં વિજય થાય, વારૂણ મંડળમાં હોય તે મનઈચ્છિત પણ અધિક લાભ થાય, તેમજ શત્રુને ભંગ થવા વડે અથવા સંધિ (સલાહ) કરવા વડે કરીને પોતાની સિદ્ધિને તે સૂચવે છે. ર૩૬.
भौमे वर्षति पर्जन्यो, वरुणे तु मनोमतम् । पवने दुर्दिनाम्भोदो, वह्नौ वृष्टिः कियत्यपि ॥२३७ ॥
વરસાદ સંબંધી પ્રશ્ન પાર્થિવ મંડળમાં કરવામાં આવે તે વરસાદ વરસશે, વરૂણ મંડલમાં પ્રશ્ન કરે તે મનઈચ્છિત વરસાદ થાય, પવન મંડલમાં વાદળાંઓથી દુદિન થાય (વરસાદ ન વરસે) અને અગ્નિ મંડલમાં કાંઈ (સહેજસાજ) વૃષ્ટિ થાય ૨૩૭,
वरुणे सस्यनिष्पत्तिरतिश्लाघ्या पुरन्दरे । मध्यस्था पवने च स्यान्न स्वल्पाऽपि हुताशने ॥ २३८ ॥
ધાન્યનિષ્પત્તિના સંબંધમાં વરૂણ મંડળમાં પ્રશ્ન કરે તે ધાન્ય નિષ્પત્તિ થાય, પુરંદર મંડળમાં ઘણી સરસ નિષ્પત્તિ થાય. પવન મંડળમાં મધ્યસ્થ રીતે (કેઈ ઠેકાણે થાય અને કેઈ ઠેકાણે ન થાય) અને અગ્નિ મંડલમાં થોડું પણ અનાજ ન થાય. ર૩૮