SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર યોગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ - વિવેચન-સુષષ્ણ નાડિમાં મિક્ષનું સ્થાન છે; આઠ સિદ્ધિઓ અને મોક્ષનું કારણ છે, આ કહેવાનો આશય એ છે કે સુષુણ્ય નાડિમાં ધ્યાન કરવાથી ઘણા થડા વખતમાં એકાગ્રતા થવાપૂર્વક લાંબા વખત પર્યત તે ધ્યાનસંતતિ બની રહે છે અને તેથી થોડા વખતમાં વધારે કર્મોને ક્ષય કે નિર્જરા મેળવી શકાય છે, આ કારહુથી તેમાં મોક્ષનું સ્થાન કહેલું છે. તેમજ સુષુષ્ણ નાડિમાં પવનની ઘણી મંદગતિ હોય છે તેથી મન પણ ઘણું સહેલાઈથી સ્થિર થાય છે. મન તથા પવનથી સ્થિરતા થતાં સંયમ ઘણી સહેલાઈથી સાધી શકાય છે. ધારણા, ધ્યાન અને સમાધિ એક જ સ્થળે કરવામાં આવે તેને સંયમ કહે છે. આ સંયમ સિદ્ધિઓનું કારણ છે. માટે જ સુષુષ્ણ નાડિ મેક્ષનું કે સિદ્ધિઓનું કારણ છે એમ કહેવામાં આવ્યું છે. આ શ્લોકમાં નાડિ વહનનું સામાન્ય ફળ બતાવવામાં આવ્યું છે, પણ તે નડિને ઉદય ક્યારે હય, કેવી રીતે થયું હોય અને કેવા કેવા સંગમાં તેથી ઉલટી જ રીતે તે નાડિએના વહન થવાથી તેનું પરિણામ વિપરીત આવે તે વિશેષ આગળ ઉપર જણાવવામાં આવશે. ૬૨-૬૩. , ડાબી અને જમણું નાડિ વહન થતાં જે જે કાર્યો કરવાં તે તે બતાવે છે - वामैवाभ्युदयादीष्टशस्तकार्येषु सम्मता । दक्षिणा तु रताहारयुद्धादौ दीप्तकर्मणि ॥ ६४ ॥ અભ્યદય આદિ ઈષ્ટ અને પ્રશસ્ત કાર્યોમાં ડાબી નાડિ સારી માનેલી છે અને વિષયસેવન, આહાર (ભૂજન કરવું) તથા યુદ્ધાદિ કિસ કાર્યોમાં જમણી નાડિ ઉત્તમ માનેલી છે. ૬૪. વિવેચન-યાત્રા, દાન, વિવાહ, નવીન વસ્ત્રાભરણ પહેરવાં, શ્રામ, નગર, ગૃહપ્રવેશ, સ્વજન મેળાપ, શાંતિક, પિટ્ટિક, મેગાભાસ, રાજદર્શન, રાદિ ચિકિત્સા, નવીન મિત્રતા કરવી, બીજ વગેરેનું વપન આદિ કાર્યને પ્રારંભકાળે ડાબી નાડી સારી. જાણવી.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy