________________
२९४
યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ પ્રથમ પગના અંગુઠા ઉપર મનને રોકવું. જ્યાં મને ત્યાં પવન એ ન્યાયથી મનને રોકવાનું કહેતાં પવન પણ તે જ ઠેકાણે રેકાય) પછી અનુક્રમે પગના તળીયા ઉપર, પાનીમાં, ગુલ્ફમાં, જંઘામાં, જાનમાં, સાથળમાં, ગુદામાં લિંગમાં, નાભિમાં, પેટમાં, હૃદયમાં, કંઠમાં, જીભ ઉપર, તાલુમાં, નાકના અગ્ર ભાગ ઉપર, નેત્રમાં, કુટિમાં, કપાલમાં અને માથામાં એક પછી એક સ્થાનમાં આગળ વધતાં, વાયુની સાથે મનને પણ છેવટમાં બ્રહ્મરંધ્ર સુધી લઈ જવું. ત્યાર પછી તે જ કમે પાછા ફરી પગના અંગુઠામાં મન સહિત પવનને લાવી, ત્યાંથી નાભિકમળમાં લઈ જઈ વાયુને રેચક કરે.
વાયુની ધારણાનું ફલ . पादाङ्गुष्ठादौ जवायां, जानूरुगुदमेहने । ધારિત કશો વાયુ, રીરત્યે વણાય ૧ / રૂ૨ . नाभौ ज्वरादिघाताय, जठरे कायशुद्धये । ज्ञानाय हृदये कूर्म-नाडयां रोगजराच्छिदे ॥ ३३ ॥ कण्ठे क्षुत्तर्षनाशाय, जिह्वाग्रे रससंविदे । गन्धज्ञानाय नासाग्रे. रूपज्ञानाय चक्षुषोः ॥ ३४ ॥ भाले तद्रोगनाशाय, क्रोधस्योपशमाय च । ब्रह्मरन्ध्रे च सिद्धानां, साक्षाद्दर्शनहेतवे ॥ ३५ ॥
પગના અંગુઠામાં, ધંધામાં, ઘુંટણમાં, સાથળમાં, ગુદામાં અને લિંગમાં અનુક્રમે વાયુને ધારી રાખવાથી ઉતાવળી ગતિ અને બળની પ્રાપ્તિ થાય છે. નાભિમાં વાયુને ઘારી રાખવાથી તાવ ઉતરી જાય છે. જઠરમાં ધારી રાખવાથી મળ સાફ થઈ શરીર શુદ્ધ રહે છે. હૃદયમાં ઘારી રાખવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. કર્મ નાડિમાં રાખવાથી રોગ અને વૃદ્ધાવસ્થાને નાશ થાય છે. (વૃદ્ધાવસ્થામાં યુવાન જેવું શરીર બન્યું રહે છે.) કંઠમાં વાયુને ધારવાથી ભુખ અને તરસ લાગતું નથી, લાગી હોય તે પણ શાંત થાય છે. જીભના