SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સમત્વ આવ્યા પછી શું કરવું? ૨૪૭ પામવું એ વિશેષ દુર્લભ છે. આ પ્રમાણે વિચાર કરી સમ્યફવમાં દઢ થવું તે બાધિદુર્લભ ભાવના છે. આ બાર ભાવનાઓવડે મનને નિરંતર વાસિત–ભાવિત કરતાં સર્વ પદાર્થોને વિષે મમત્વ રહિત થઈ પ્રાણિઓ સમભાવને પ્રાપ્ત થાય છે. માટે સમ સુખાર્થીઓએ આ બાર ભાવનાથી અહોનિશ અંતઃકરણને વાસિત કરવું જોઈએ. ૧૦૭ થી ૧૧૦ સમભાવનું ફળ विषयेभ्यो विरक्तानां, साम्यवासितचेतसाम् । उपशाम्येत्कषायाग्निर्बोधिदीपः समुन्मिषेत् ॥ १११ ॥ વિષયોથી વિરક્ત પામેલા અને સમભાવથી વાસિત ચિત્તવાળા મનુષ્યને કષાય અગ્નિ ઉપશમી જાય છે અને સમ્યક્ત્વ દીપક પ્રદીપ્ત થાય છે. ૧૧૧. * . સમત્વ આવ્યા પછી શું કરવું? समत्वमवलम्ब्याथ, ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे, ध्याने स्वात्मा विडम्ब्यते ॥ ११२ ॥ સમત્વનું અવલંબન કરીને યોગીઓએ ધ્યાનને આશ્રય કરે (ધ્યાન કરવું). સમભાવ સિવાય ધ્યાનને પ્રારંભ કરવામાં આવે તે ધ્યાનમાં પ્રવેશ ન થતાં, આત્મા વિડંબના પામે છે. ૧૧૨. मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् ।। ... ध्यानसाध्यं मतं तच्च, तद्धयानं हितमात्मनः ॥ ११३ ॥ . કર્મક્ષયથી જ મોક્ષ થાય છે, તે કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે, તે આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય થાય છે, માટે તે ધ્યાન જ આત્માને હિતકારી માનેલું છે. ૧૧૩. न साम्येन विना ध्यानं, न ध्यानेन विना च तत् । निष्कम्पं जायते तस्माद् द्वयमन्योऽन्यकारणम् ॥ ११४ ॥ સામ્યતા સિવાય ધ્યાન હેતું નથી અને ધ્યાન સિવાય નિષ્કપ (મજબુત) સામ્યતા આવતી નથી. માટે તે બેઉ આપસમાં (અન્ય અન્ય) હેતુરૂપ છે. ૧૧૪ નિયતા સિવાર મા ન
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy