SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ વિચાર પણ કરતા નથી, એ અફસોસનું કારણ છે. દુઃખરૂપી દાવાનળની બળતી જવાળાઓથી ભયંકર આ સંસારરૂપ વનમાં મૃગનાં બાળકની જેમ પ્રાણીઓને (ધમ સિવાય) કેઈનું શરણ નથી. વિવેચન—આયુર્વેદાદિના અષ્ટાંગને જાણનાર રાજવૈદ્ય અને મૃત્યુંજય મંત્ર વડે મંત્રવાદીઓ પણ આ દેહનું મરણથી રક્ષણ કરી શકતા નથી. ખડૂગના પીંજરામાં રહેનારા અને ચતુરગી સેનાથી વિટાએલા રાજાને પણ રાંકની માફક મરણ ખેંચી જાય છે, તે અન્યની શી વાત કરવી? સગર ચક્રવર્તીને સાઠહજાર પુત્રોને તૃણની જેમ જવલનપભદેવે બાળીને ભસ્મ કરી દીધા, પચીશ હજાર દેવેથી સેવન કરતે ચક્રવર્તી પિતાનું રક્ષણ કરવા સમર્થ ન થયે. સ્કંદકાચાર્યના પાંચસો શિષ્યોને પડપી પાલકે ઘાણીમાં ઘાલી માર્યા, પણ મરણથી બચાવવા કેઈ સમર્થ ન થયું. જેમ મરણના પ્રતિકારને જનાવરો નથી જાણતા તેમ મનુષ્ય પણ ન જાણે તે તે મનુષ્યપણું દિકકારને પાત્ર છે. અહા! શું પરાક્રમી પુરુષની પણ પરાધીન દશા ! એક ખડ્રગ માત્ર ઉપકરણથી જેણે આખી દુનિયાને જીતી હતી, તેવા વીર પુરુષો પણ મરણ પાસે આવ્યે દીન થઈ મોઢામાં આંગળીઓ ઘાલે છે. નેહથી ખેંચીને જેને ઈન્દ્ર મહારાજ પણ અર્ધાસને બેસાડતા તેવા શ્રેણિકાદિ મહારાજાએ પણ વર્ણવી ન શકાય તેવી ઘર દશા પામ્યા ! તલવારની ધાર સમાન તીક્ષણ વ્રત પાળનાર મુનિઓ પણ તેને પ્રતિકાર નથી કરી શક્તા. માટે જ આ વિશ્વ અશરણ્ય, અરાજક અને નિર્ણાયક છે. એમ એક નાનામાં નાના કીડાથી લઈને દે પર્વતના સર્વ જીવોથી ભરપુર આ આખું જગત્ શરણ રહિત, કર્મોને યા જન્મ મરણને પરાધીન છે. એક ધર્મનું શરણ તે જ શુભ ગતિ આપી, કર્મની જાળથી છોડાવી, જન્મ મરણથી મુક્ત કરી ખરૂં સુખ કે શરણ આપનાર છે. માટે હે ભવ્ય ! કર્માધીન જીનો આશ્રય મૂકી એક ધર્મને આશ્રય તમે સ્વીકારે જેથી અક્ષય સુખ મળે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy