________________
૨૦૫
સંખણા વિશેષ વિધિ બતાવે છે શરીરને પાડી નાખવું એવી જ્ઞાનીની આજ્ઞા નથી, પણ જ્યારે જ્ઞાન ધ્યાન કાંઈ પણ હવે બની શકવું અશક્ય છે એમ જણાય અથવા આયુષ્ય હવે ઘણું થડા વખતમાં પૂર્ણ થવાનું છે તેમ સમજાય ત્યારે મરણાંત સંલેખના યા અણસણ કરવાનું છે.
અણસણ કરવાની ભૂમિકા બહુધા તીર્થકરોનાં કલ્યાણકવાળી હેય તે વિશેષ શ્રેષ્ઠ છે, કેમકે પરિણામ વિશુદ્ધિમાં તેવાં સ્થળો વિશેષ અનુકૂળ છે. તે ન હોય તે ઘર કે અરણ્ય કઈ પણ નિર્જીવ ભૂમિકામાં જઈ અણસણ કરવું. અણુસણ કર્યા પહેલાં આ જન્મ પર્યતનાં સર્વ પાપ ગુરુસાક્ષીએ યા તેમના અભાવે આત્મસાક્ષીએ આવવાં. છેલ્લે અણસણ હોવાથી સાધુનાં વ્રત અંગીકાર કરી લેવાં. સર્વ ને ખમાવી, ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી, ચાર શરણ લઈ ધમ ધ્યાનમાં તત્પર થઈ રહેવું, તેમજ અણસણ કરી આ લેક સંબંધી મનાવા પૂજાવાની દરકાર ન રાખવી. પરલેકે દેવાદિ થવાની ઈચ્છા ન કરવી. માન સન્માન વિશેષ થતું હોવાથી વિશેષ જીવવાની ઈચ્છા ન થવા દેવી અને પ્રશંસા વિગેરે થતું ન હેવાથી જલદી મરવાની ઈરછા પર્ણન કરવી તથા તપશ્ચર્યાદિ ધર્મમાં જે સામર્થ્ય હેય તે આ ક્રિયાથી હું દેવેન્દ્ર, ચક્રવર્તી, રાજા, સ્ત્રીવલ્લભાવિ થાઉં તેવું નિદાન (નિયાણું) પણ ન કરવું. પણ એક જ પરમ સ્વરૂપમાં લક્ષ રાખીને સમભાવિત રિથતિએ તે આયુષ્ય પૂર્ણ કરવું. જેમ આનંદ શ્રાવકે અણુસણ કરી અવધિજ્ઞાન મેળવવા ઉપરાંત સંસાર પરિભ્રમણ ઘણું જ ઓછું કરી દીધું.
ભગવાન મહાવીરદેવના વખતમાં વાણીજ્યપુરને શાસ્તા છતશત્રુ રાજા હતા, તે શહેરમાં જગતના જીને આનંદ આપનાર આનંદ નામને ગૃહપતિ હતા અને ચંદ્રને જેમ રહિણી તેમ આનંદને શિવાનંદા નામની પ્રિયા હતી. આનંદની પાસે બાર કોડ સોનામહોર અને ચાર ગોકુળ હતાં તે શહેરથી ઈશાન ખુણામાં કલ્લાક નામના ગામમાં આનંદના સગાંસંબંધી રહેતાં હતાં. એક વખત વીરપ્રભુ વિહાર કરતાં કરતાં શહેર નજીકના વનમાં પધાર્યા.