________________
ક
મધ ખાવામાં વધારે પાપ બતાવે છે
મધ ખાવામાં વધારે પાપ બતાવે છે भक्षयन्माक्षिक क्षुद्र-जन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तुनिहन्तभ्यः शौनिकेभ्योतिरिच्यते ॥ ३७॥
લાખે નાના જંતુઓના ક્ષયથી પેદા થએલું મધ તેને ખાવાવાળે થોડા જીવને મારવાવાળા ચંડાળથી (જી મારવાની સંખ્યાની અપેક્ષાએ) પણ વધી જાય છે. ૩૭.
एकैककुसुमक्रोडाद रसमापीय मक्षिकाः । यद्वमन्ति मधूच्छिष्टं तदश्नन्ति न धार्मिकाः ॥ ३८॥ अप्यौषधकृते जग्धं, मधु श्वभ्रनिबन्धनम् । भक्षितः प्राणनाशाय कालकूटकणोऽपि हि ॥ ३९ ॥ मधुनोऽपि हि माधुर्यमबोधैरहहोच्यते । आसाद्यन्ते यदास्वादाचिरं नरकवेदनाः ॥ ४० ॥
એક એક પુષ્પની અંદરથી માખીઓ રસ પીઈને બીજે ઠેકાણે તે રસને વમે છે, તે રીતે તૈયાર થએલું તે મધ કહેવાય છે. આવું ઉચ્છિષ્ટ (એવું) મધ ધાર્મિક પુરુષે ખાતા નથી. કેટલાક મનુષ્ય મધનો ત્યાગ કરે છે પણ ઔષધને માટે તે મધ ખાય છે. જ્ઞાનીઓ કહે છે કે ઔષધને માટે ખાધેલું મધ પણ નરકનું કારણ છે. કેમકે કાળક્ટ ઝેરને કણી પણ ખાધે હોય તે તે પ્રાણના નાશને માટે થાય છે.
કેટલાક અજ્ઞાની જી કહે છે કે મધમાં પણ મીઠાશ રહેલી છે. પણ જેને આસ્વાદ કરવાથી ઘણા વખત સુધી નરકની વેદના ભેગવવી પડે તેને તાવિક મીઠાશ કેમ કહેવાય ? જેનું પરિણામ દુખદાયી આવે તેમાં મીઠાશ હોય તે પણ તે મીઠાશ ન કહેવાય, માટે મધને વિવેકી પુરુષએ ત્યાગ કરવું જોઈએ. ૩૮-૩૯-૪૦.