SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ અશક્ય નથી છતાં શક્ય તે જણાય છે. કેટલાક મનુષ્ય વસ્તુ વિદ્યમાન છતાં મૂછ ત્યાગને ડોળ કરે છે પણ આવે ત્યાગપણને ડોળ એ ખરેખર ત્યાગ માર્ગમાં જોખમ ભરેલ છે. વસ્તુ જેને જોઈએ તેને આપી દેવાય, ચાલી જાય, નાશ પામે તે શક ન થાય, આવે તે હર્ષ ન જ હોય, અને તેને રક્ષણાદિ સંબંધમાં આત્મા કાંઈ પણ ખિન્ન કે કલુષિત ન થતું હોય તે સમજવાનું છે કે તેના ઉપર મૂછ નથી; પણ જે તે માંહેથી કઈ પણ વિદ્યમાન હોય તે મૂછ ગઈ નથી એમ સમજવું જોઈએ. માટે બીજા ત્યાગને ગૌણ કરી પ્રથમના બાહ્યાંતર ત્યાગને મુખ્ય કરી અત્યારના સમયમાં વર્તવું એ વિશેષ આત્મહિતકારી છે. પરિગ્રહથી થતે દેષ परिग्रहमहत्त्वाद्धि, मज्जत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी त्यजेत्तस्मात्परिग्रहम् ॥ १०७॥ જેમ ઘણું ભારથી ભરેલું મેટું વહાણ સમુદ્રમાં ડુબી જાય છે, તેમ પરિગ્રહ ઉપરના મમત્વથી પ્રાણિઓ સંસારરૂપ સમુદ્રમાં ડુબે જ છે. માટે પરિગ્રહને ત્યાગ કરવો જોઈએ. ૧૦૭. त्रसरेणुसमोऽप्यत्र, न गुणः कोऽपि विद्यते । दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्पन्ति परिग्रहे ॥ १०८ ॥ એક ત્રસરણના જેટલા પણ પરિગ્રહમાં કોઈ પણ ગુણ વિદ્યમાન નથી, છતાં પર્વત જેવા મેટા દોષે તે તેનાથી ઉત્પન્ન થાય છે. વિવેચન–કેટલાક મનુષ્ય પરિગ્રહમાંથી એવા ગુણે દેખાડે છે કે પૈસા હોય તે દાન આપીએ, મંદિર આદિ બંધાવીએ વિગેરે વિગેરે ધર્મનાં કાર્યો કરીએ, માટે ગમે તે આરંભાદિ કરીને પણ ધર્મ કરવા માટે પૈસો મેળવો અને દાન આપવાથી, મંદિર આદિ બંધાવવાથી કરેલું પાપ નિવૃત્ત થશે. . જ્ઞાનીઓ કહે છે કે પિસાથી દાન આપવાનું તથા મંદિર આદિ બંધાવવાનું જે શાસ્ત્રમાં
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy