SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ગશાસ્ત્ર ભાષાંતર-દિતીય પ્રકાશ આવી કૃતવીર્યને મારી, પિતે ગાદી ઉપર બેઠે. એ અવસરે કૃતવીર્યની સગર્ભા રાણ ત્યાંથી નાસી તાપસના આશ્રય નીચે એક ભોંયરામાં રહેવા લાગી. ક્ષત્રિએ ઉપરના શ્રેષથી પરશુરામે સાતવાર ક્ષત્રિય વિનાની પૃથ્વી કરી. તાપસના આશ્રમે ભોંયરામાં તે રાણીને પુત્ર અવતર્યો ચૌદ સ્વામથી સૂચિત તે પુત્રનું સુભૂમ નામ પાડવામાં આવ્યું. પરશુરામે નિમિત્તિયાને પૂછયું કે “મારૂં મરણ કેાનાથી થશે?” ખરેખર બહુ વેરવાળા જી નિરાંતે નિદ્રા પણ લેતા નથી અને રાત્રિ દિવસ મરણથી શકિત રહે છે. નિમિત્તિઓએ કહ્યું કે ક્ષત્રિઓની દાઢાને ભરેલ થાળ જેનાં જેવાથી ક્ષીરરૂપ થઈ જશે, તેનાથી તમારું મરણ થશે. તે જાણવા માટે પરશુરામે દાનશાળા બંધાવી અને દાઢાને ભરેલો થાળ ત્યાં મૂક્યો. ભેંયરામાં રહેલ સુભૂમ એક દિવસ પોતાની માતાને કહે છે કે માતાજી, શું આટલી જ પૃથ્વી છે ?” માએ ઉત્તર આપ્યો “પુત્ર, પૃથ્વી ઘણું મોટી છે પણ પરશુરામના ભયથી આપણે અહીં રહીએ છીએ. તેણે તારા પિતાને મારી નાંખ્યો છે અને જે કંઈ ક્ષત્રિને દે છે તેને મારી નાખે છે.” સુભૂમનું ક્ષત્રિય તેજ ઢાંક્યું ન રહ્યું. વાત સાંભળતાં જ તેનાં નેત્રે લાલ થઈ આવ્યાં. માતાના વાર્યા છતાં તે બહાર નીકળ્યો અને જ્યાં પેલો થાળ હતું તે દાનશાળાએ આવ્યો. તેને જોતાં જ થાળમાં રહેલી દાઢ ક્ષીરરૂપ થઈ ગઈ તે સુલૂમ પીઈ ગયે. પરશુરામને આ વાતની ખબર પડી, એટલે તે લડવા આવ્યા. પુણ્યની પ્રબળતાથી તે થાળ ચક્રરૂપ થયું અને યુદ્ધમાં પરશુરામ મરા. ક્ષત્રિઓના અને પિતાના વેરથી તેણે એકવીશ વાર બ્રાહ્મણ વગરની પૃથ્વી કરી. આ પ્રમાણે તેણે અનેક જીવોની હિંસા કરી છ ખંડ સાધ્યા. આવી અઘોર હિંસાથી સુભૂમ ચક્રવતીં મરીને સાતમી નરકે ગયો. બ્રહ્મદત્તનું વૃત્તાંત-કપિલ્યનગરના બ્રહ્મરાજાની ચૂલણી રાણીએ ચૌદ સ્વમ સૂચિત એક પુત્રને જન્મ આપે. તેનું નામ બ્રાન્ત રાખવામાં આવ્યું. રાજાએ ઘણું હર્ષથી પુત્રજન્મત્સવ કર્યો.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy