________________
યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ.
કુગુરુનાં લક્ષણ सर्वामिलाषिणः सर्व, भोजिनः सपग्ग्रिहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो न तु ॥ ९ ॥
સર્વ વસ્તુઓના અભિલાષી, ભયા ભણ્યાદિ સર્વ ભોજન કરનાર, ધન, સ્ત્રી, પુત્ર, આદિ પરિગ્રહધારી, અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ દેવાવાળા ગુરુએ ન જ કહેવાય. ૯.'
परिग्रहारंभमनास्तारयेयुः कथं परान् । . ... स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ॥ १० ॥
પરિગ્રહ અને આરંભમાં મગ્ન થએલા ગુરુઓ બીજાઓને કેવી રીતે તારી શકે? કેમકે તે દરિદ્ર હોય તે બીજાને ધનાઢ્ય બને. વવાને કેમ સમર્થ થાય? ૧૦.
વિવેચન–એક બાજુ ઘન, સ્વજન, સ્ત્રી, પુત્ર, આદિ પરિગ્રહ અને જીવ હિંસાદિ અનેક આરંભમાં મગ્ન થવું અને બીજી બાજુ ધર્મ ગુરુ થઈ ધાર્મિક ઉપદેશ આપે એ પ્રકાશ અને અંધકારના જેવું જ પૂર્વાપર વિરોધી છે. જેવું પોતે બેલે છે તેવું આચરણ ન હોય તે લેકે ઉપર તેની અસર થતી નથી. જ્યારે ગુરુએ દુનિયાના સુખની ઈચ્છાવાળા હેય, ભણ્યાભય ભક્ષણ પિયારેય પાન કરતા હય, પૈસા મેળવવાની લાલચવાળા હય, સ્ત્રીઓમાં આસકત હોય અને મિથ્યા બેલનાર હોય તે ગૃહસ્થો કરતાં તેઓમાં અધિકતા શાની, ગૃહસ્થો પાપને પશ્ચાત્તાપ કરતા હોવાથી અને તેમાંથી છુટવા માટે દાનાદિ આપી બીજાઓને ઉપકાર કરતા હોવાથી તેમાંથી છુટવાને કઈ પણ વખત સમર્થ થાય છે, પણ આ તે ગુરુપદ ધારક હેવાથી પિતાના પાપ તરફ લક્ષ ન કરનારા, કરેલ પાપના પશ્ચાત્તાપ વિનાના અને મિથ્યાભિમાની, ગુણ વિના ગુરુપદ ધારકોને છુટકારે કઈ પણ વખત થ બહુ મુશ્કેલ છે. આમ પિતે સંસારમાં ડુબેલ યા બંધાએલ હોવાથી બીજાઓને તેઓ કેવી રીતે છોડાવી શકે? એક દષ્ટાંતથી આ વાત સ્પષ્ટ કરીએ.