________________
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ ત્રીજી એષણ સમિતિ द्विचत्वारिंशता भिक्षादोषनित्यमदूषितम् । मुनिर्यदन्नमादत्ते सैषणासमितिमता ॥ ३८ ॥
મુનિએ ભિક્ષાના બેંતાલીસ દોષથી નિરંતર અદૃષિત (દેવ રહિત) જે આહાર (અન્ન પાણી આદિ) ગ્રહણ કરે છે તેને એષણસમિતિ કહે છે. - વિવેચન–જેમ ભ્રમર સ્વભાવિક ઉત્પન્ન થએલા કમળ ઉપર બેસી તેમાંથી રસ ગ્રહણ કરી પિતાના આત્માને સંતોષે છે અને કમળને પીડા ઉપજાવતું નથી. તેમ ગૃહસ્થાએ પિતાને માટે બનાવેલા આહારમાંથી, તેને દુખ ન થાય, ફરી બનાવ ન પડે, તેવી રીતે સ્વલ્પ આહાર ગ્રહણ કરી મુનિએ પિતાના દેહને પિષિત કરે છે, તેને એષણસમિતિ કહે છે. ભિક્ષાના બેંતાળીસ દેષ પિંડનિર્યુક્તિસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વિગેરે સ્થળેથી જોઈ લેવા. વિસ્તાર વિશેષ હોવાથી અહીં લખવામાં આવ્યા નથી. ૩૮
ચેથી આદાન નિક્ષેપ સમિતિ आसनादीनि संवीक्ष्य प्रतिलिख्य च यत्नतः । गृह्णीयानिक्षिपेद्वा यत् सादानसमितिः स्मृताः ॥ ३९ ॥
આસનાદિ દષ્ટિથી જોઈને તથા ઘા પ્રમુખથી પ્રમાર્જન કરીને યત્નાપૂર્વક લેવાં અથવા મુકવા તેને આદાનસમિતિ કહી છે.
વિવેચન–આ તે જેનેને મુખ્ય સિદ્ધાંત છે કે, નારિવાજ્ઞ ઇંચને કઈ પણ જીવને મારશે નહિ. જેમ બીજા છાને મારવાની મનાઈ છે તેમ પિતાના આત્માને પણ માર નહિ, ઉપગ રાખ્યા સિવાય ઉન્મત્ત યા ઉછુંખલપણે પ્રવર્તન કરતાં દરેક કાર્યમાં બીજા જીના મરણ સાથે પિતાને આત્મા પણ કર્મથી મરાય છે, બંધાય છે. તેને બચાવ પણ સાથે જ કરવાનું છે અને સાચું પૂછે તે પિતાના જીવને બચાવ કરે તે જ બીજાના જીવન બચાવ છે.