________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
કે- જે દ્રવ્ય ભોગ વિનષ્ટ (= ફરી ઉપયોગમાં ન આવી શકે તેવું) હોય તેને ગીતાર્થો નિર્માલ્ય કહે છે. નિર્માલ્યનું આ લક્ષણ વસ્ત્રો અને આભૂષણોમાં ઘટતું નથી. માટે એક વાર ચઢાવેલાં વસ્ત્રો અને આભૂષણો ફરી ચઢાવી શકાય.) (૧૪૬)
अलमेत्थ वित्थरेणं, आइन्नं एवमाइ बहुभेअं। सव्वं न दूसिअव्वं, विसुद्धधमं महंतेण ॥१४७॥ .... अलमत्र विस्तरेण आचीर्णमेवमादि बहुभेदम् । . सर्वं न दूषयितव्यं विशुद्धधर्म काङ्क्षता ।।१४७।।
અહીં અધિક વિસ્તારની જરૂર નથી. આ પ્રમાણે આચરણા અનેક પ્રકારની છે. વિશુદ્ધ ધર્મના અભિલાષી જીવે બધીય આચરણાને દૂષિત ન કરવી જોઈએ = બધી જ આચરણા ખોટી છે એમ ન માનવું જોઈએ. (૧૪૭) "
आह परो जिणवंदणविहाणमारंभिऊण किं जुत्तं ? । अप्पत्थुयमाढविअं, आइन्नवियारणं एयं ॥१४॥ आह परो जिनवन्दनविधानमारभ्य किं युक्तम् ? अप्रस्तुतमारब्धमाचीर्णविचारणमेतत् ।।१४८।। ।
અહીં કોઈ કહે છે કે- ચૈત્યવંદનની વિધિ શરૂ કરીને અપ્રસ્તુત એવી આચરણાની વિચારણા શરૂ કરી તે શું યુક્ત છે ? (૧૪૮).
नापत्थुयमेत्थ जओ, एयं चिय अंतरंगमुवइटें । માર્વવિદ્ધિરૂવે, પઢમં તા વંવિદા ૨૪ . नाप्रस्तुतमत्र यत एतत्खलु अन्तरङ्गमुपदिष्टम् । भावविशुद्धिस्वरूपं प्रथमं ततो वन्दनविधानम् ।।१४९।।
અહીં આચરણાની વિચારણા અપ્રસ્તુત નથી, કારણકે ભાવવિશુદ્ધિને વંદનાના ફળનું આંતરિક કારણ કહ્યું છે, વિધિ બાહ્ય કારણ છે. આથી પહેલાં ભાવવિશુદ્ધિનું સ્વરૂપ કહેવું જોઈએ, અને પછી વંદન વિધિ કહેવી જોઈએ. (૧૪૯)