SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય જેથી ડાબો અંગુઠો જમણા અંગુઠાની સામો જોડાયેલો રહે, અને ડાબી પહેલી આંગળી જમણી પહેલી બીજી આંગળીની વચ્ચે આવે. તથા ડાબા કાંડાથી કોણી સુધીનો ભાગ પણ તે વખતે કમળના નાળની પેઠે યથાયોગ્ય સાથે રાખવો, અને તે પ્રમાણે સંયુક્ત અથવા અસંયુક્ત બન્નેય કોણીઓ પેટ ઉપર અથવા નાભિ ઉપર સ્થાપવી, અને હથેળીઓનો રચેલો કોશાકાર કાંઈક નમાવેલા મસ્તકથી કાંઈક દૂર રાખવો તે યોગમુદ્રા છે. (૮૪) तेणं चिय सूरिवरा, कुणंति वक्खाणमेयमुद्दाए । जं ते जिणपडिरूवा, धरंति मुहपोत्तियं नवरं ॥ ८५ ॥ तेन खलु सूरिवराः कुर्वन्ति व्याख्यानमेतन्मुद्रया । यत्ते जिनप्रतिरूपा धरन्ति मुखवस्त्रिकां नवरम् ।।८५।। આથી જ ઉત્તમ આચાર્યો આ મુદ્રાથી વ્યાખ્યાન કરે છે. પણ તેઓ (બે હાથ વડે મુખ ઉપર) મુખવસ્તિકાને ધારણ કરે છે. કારણકે આચાર્યો તીર્થંકર નથી, કિંતુ તીર્થંકર સમાન છે. (૮૫) सिद्धपडिमासु एवं, एगंतसुईसु असुइ कप्पो । आसायणभीरूण वि, गुरुतरमासायणं कुणइ ॥ ८६ ॥ सिद्धप्रतिमास्वेवमेकान्तशुचिषु अशुचिसंकल्पः । आशातनाभीरूणामपि गुरुतरामाशातनां करोति ।। ८६ । એકાંતે પવિત્ર એવી સિદ્ધપ્રતિમાઓમાં આ પ્રમાણે અપવિત્રતાની કલ્પના આશાતનાથી ભય પામનારાઓને પણ મોટી આશાતના કરે છે. વિશેષાર્થઃ— આશાતનાથી ભય પામનારાઓ પણ જો (પરસ્પર પાણીના સ્પર્શથી) પ્રતિમાઓમાં અપવિત્રતાની કલ્પના કરે તો મોટી આશાતનાં કરનારા બને છે એવો અહીં ભાવ છે. (૮૬) मलरहियाणं ण्हाणं, कीरइ पूआनिमित्तमे सिं । न उ मलविगमनिमित्तं, सम्ममिणं भावियव्वं तु ॥८७॥ ૩૮
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy