SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય कारवणे पुन्नं विव, बिंबाण निवारणे महापावं । लाभच्छेयं सुंदर !, सम्मं भावेंति मज्झत्था ॥५७॥ कारणे पुण्यमिव बिम्बानां निवारणे महापापम् । लाभच्छेदं सुन्दर ! सम्यग्भावयन्ति मध्यस्थाः ।।५७।। જેવી રીતે બિંબોને કરાવવામાં પુણ્ય થાય છે તેવી રીતે બિંબોનો નિષેધ કરવામાં મહાપાપ લાગે છે. હે સુંદર ! મધ્યસ્થ પુરુષો લાભ-હાનિનો બરોબર વિચાર કરે છે. (૫૭) मिच्छासायणदंसी !, न मुणसि बिंबंतरायमइपावं। . विंधसि सरेण वालं, चुक्कसि तं मंदरगिरिस्स ॥५८॥ मिथ्याशातनादर्शिन् ! न जानासि बिम्बान्तरायमतिपापम्। . विध्यसि शरेण व्यालं भ्रश्यसे त्वं मन्दरगिरेः ।।५८।। તું ખોટી આશાતનાઓને જુએ છે, પણ બિબના અંતરાય રૂ૫ મહા પાપને જાણતો નથી=જોતો નથી. આ તો એવું થયું કે - તું બાણથી હિંસક પશુને વીંધી નાખે છે, પણ મેરુ પર્વત ઉપરથી નીચે પટકાય છે. વિશેષાર્થ – હિંસક પ્રાણી સામે મળે ત્યારે હિંસક પ્રાણીને બાણથી ન વીંધે તો હિંસક પશુથી પોતાનો મૃત્યુ થાય જ એવો નિયમ નથી. કોઈક રીતે હિંસક પશુથી બચી જવાની ઘણી સંભાવના છે. પણ મેરુ પર્વતના શિખર ઉપરથી નીચે પડવાથી અવશ્ય મૃત્યુ થાય. એમાં બચવાની કોઈ શક્યતા નથી. પ્રસ્તુતમાં આ દષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે પ્રશ્નકારે પૂર્વે જિનબિંબોની જે ખોટી આશાતનાઓ બતાવી તેમાંથી બચવાનો હજી ઉપાય છે, પણ અધિક બિંબ ન કરાવાય એવા ઉપદેશથી બીજાઓને બિંબ કરાવવાનો અંતરાય કરવામાં થતા મહાપાપથી કોઈ છૂટકારો ન થાય. જિનબિંબની ખોટી આશાતનાઓ હિંસક પશુના સ્થાને છે. અને જિનબિંબોનો અંતરાય મેરુ પર્વત ઉપરથી પતન પામવા સમાન છે. (૫૮) ૨ ૮
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy