SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય નગર– दव्वाइएहि जुत्तस्सुस्सग्गो तदुचियं अणुट्ठाणं । रहियस्स तमववाओ, जहोचियं जुत्तमुभयं पि ॥८७७॥ યતઃ द्रव्यादिकैर्युक्तस्योत्सर्गस्तदुचितमनुष्ठानम् । रहितस्य तदपवादो यथोचितं युक्तमुभयमपि ।।८७७।। કારણકે– દ્રવ્યાદિથી યુક્ત સાધુને પરિપૂર્ણ દ્રવ્યાદિને યોગ્ય જે શુદ્ધ અન્ન-પાનાદિની ગવેષણાદિ રૂપ અનુષ્ઠાન તે ઉત્સર્ગમાર્ગ છે. દ્રવ્યાદિથી રહિત સાધુને અપરિપૂર્ણ દ્રવ્યાદિને યોગ્ય જે પંચકઆદિની હાનિથી તેવા પ્રકારના દોષિત અન્નપાનાદિનું સેવન કરવા રૂપ જે અનુષ્ઠાન તે અપવાદમાર્ગ છે. યથાયોગ્ય બંને ય પ્રકારના અનુષ્ઠાનો યુક્ત છે. તે વિશેષાર્થ – દ્રડ્યાદિથી એ સ્થળે આદિ શબ્દથી ક્ષેત્ર, કાલ, સંઘયણ, રોગ વગેરે સમજવું. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– જે સાધુ શુદ્ધ અન્નપાનાદિથી નિર્વાહ કરી શકે તેના માટે ઉત્સર્ગ માર્ગ છે. જે સાધુ શુદ્ધ અન્ન-પાનાદિથી - નિર્વાહ ન કરી શકે તેના માટે અપવાદ માર્ગ છે. દરેક સાધુએ પોતાની પરિસ્થિતિનો સમ્યક્ વિચાર કરીને જ્યારે જે ઉત્સર્ગ કે અપવાદથી નિર્વાહ કરી શકાય ત્યારે તે ઉત્સર્ગ કે અપવાદનું સેવન કરવું જોઈએ. ઉત્સર્ગના સ્થાને અપવાદનું અને અપવાદના સ્થાને ઉત્સર્ગનું સેવન કરવાથી જિનાજ્ઞાની વિરાધના થાય છે. “પંચક આદિની હાનિથી” એ સ્થળે પંચક એ પ્રાયશ્ચિત્તની સંજ્ઞા છે. જ્યારે દોષિત આહાર-પાણી લેવા પડે ત્યારે પહેલાં પંચક પ્રાયશ્ચિત્ત આવે તેવા આહાર-પાણી લેવા. તેવા ન મળે તો તેનાથી થોડું વધારે પ્રાયશ્ચિત્ત આવે તેવા આહાર પાણી લેવા. તેવાય ન મળે તો તેનાથી પણ થોડું વધારે પ્રાયશ્ચિત્ત આવે તેવા આહારપાણી લેવા. દોષિત આહાર-પાણી લેવા પડે તો જેમ બને તેમ ઓછા દોષવાળા આહાર-પાણી મેળવવાનો પ્રયત્ન કરવો એ અહીં તાત્પર્ય છે. આ જ ગાથા થોડા ફેરફારથી ઉપદેશપદ (૭૮૪) ગ્રંથમાં છે. (૮૭૭) ૩૭૭
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy