________________
ચૈત્યવદન મહાભાષ્ય
जं नमिया सयलनिवा, जिणस्स अच्चंतबलसमुत्रद्धा। तेण विजएण रन्ना, नमि त्ति नामं विणिम्मवियं ॥६१३॥ यद् नताः सकलनृपा जिनस्यात्यन्तबलसमुनद्धाः । तेन विजयेन राज्ञा ‘नमिः' इति नाम विनिर्मापितम् ।।६१३।।
ભગવાન ઉત્તમગુણોના સમૂહથી મહાન હોવાથી જગદ્ગુરુએવા ભગવાનનાં ચરણોમાં સુરો અને અસુરો નમ્યા તેથી ભગવાનનમિ કહેવાય છે. તો પણ આમાં વિશેષ નિમિત્ત આછે–વિજયરાજાના મહેલમાંદેવોના સમુદાયે પુત્ર જન્મનોમનોહર મહોત્સવ ર્યો. આ સાંભળીને નજીક દેશના રાજાઓ ઈર્ષ્યા અને દ્વેષથી ભારે બન્યા. તથા તેમને ભવિષ્યમાંવિજયરાજાઅમારો પરાભવકરશે એવોભયઉત્પન્ન થયો.આથી તેરાજાઓએ તુરત મિથિલાનગરીને ઘેરી લીધી. અતિ ભયંકર નગરઘેરો થતાં લોકો ઘણી ચિંતામાં પડ્યા. વિજય રાજા વ્યાકુલ થયો. મંત્રી વર્ગ મૂઢ બની ગયો. વપ્રાદેવી વિચારે છે કેઈંદ્રોથી પૂજાયેલા મારા પુત્રના તેજને શત્રુઓ મધ્યાહ્નના સૂર્યના તેજની જેમ કેવી રીતે સહન કરે? અર્થાત્ સહન ન કરી શકે. તેથી સર્વ દુષ્ટરાજાઓને આ પુત્ર બતાવું. જેથી બધાય રાજા જલદી પ્રણામકરે કે પલાયન થઈ જાય. માર્ગને અનુસરનારી પરિણામિકી બુદ્ધિથી આ પ્રમાણે વિચારીને બાળકને ખોળામાં ધારણ કરીને સૂર્યોદય થતાં વપ્રાદેવી નગરના કોટ ઉપર ચઢી. શ્રેષ્ઠ જિનેન્દ્રને જોઈને માન અને દ્વેષથી રહિત બનેલા રાજાઓ જિનને પ્રણામ કરે છે, અને સ્નેહની મુખ્યતાવાળા સેવકભાવને સ્વીકારે છે. બલથી અત્યંત અભિમાની સર્વ રાજાઓ જિનને નમ્યા તેથી વિજય રાજાએ નમિ એવું નામ સ્થાપિત કર્યું. (૬૦૫ થી ૬૧૩).
भन्नड अरिट्रमसहं, नेमी चक्काउहस्स खल धारा। असुहस्स नेमिभूओ, अरिट्ठनेमी जिणो तेण ॥६१४॥ भण्यतेऽरिष्टमसुभं नेमिश्चक्रायुधस्य खलु धारा । अशुभस्य नेमिभूतोऽरिष्टनेमिर्जिनस्तेन ।।६१४।। अहवा सिवादेवीए, दिटुं सुमिणम्मि तुट्ठिसंजणयं । रिटरयणं च नेमिं, उप्पयमाणं तओ नेमी ॥६१५॥.
૨૫૪