________________
ચૈત્યવદન મહાભાષ્ય
એ બંને પ્રવર્તે છે.” આ રીતે જાતે જ વિચારવું.
કેવલી છે- આ પ્રમાણે (= પૂર્વે કહ્યું તેમ) અરિહંતો કેવલ ચારિત્રવાળા છે, કેવલજ્ઞાનવાળા છે, આથી કેવલી છે. કારણકે (વ્યાકરણના નિયમ પ્રમાણે) જેમની પાસે કેવલ હોય તે કેવલી કહેવાય છે.
પ્રશ્ન- અહીં અરિહંતો કેવલી = કેવલજ્ઞાની છે એ વિષયનું વર્ણન . થઈ રહ્યું છે. તેથી અરિહંતો કેવલજ્ઞાની છે એમ કહેવું એ અવસરોચિત છે. પણ અહીં ચારિત્ર સંબંધી કોઈ વર્ણન ન હોવાથી કેવલચારિત્રી એવું કથન અવસરોચિત નથી, એટલે પ્રશ્ન થાય છે કે અવસર વિના જ કેવલચારિત્રી (= કેવલચારિત્રવાળાં) એમ કેમ કહ્યું?
ઉત્તર – અહીં કેવલચારિત્રી એમ કહીને “નિયમાં કેવલચારિત્રની પ્રાપ્તિપૂર્વકજકેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે” એનિયમ બતાવ્યો છે. આથી કેવલચારિત્રી એવું કથન અવસર વિનાનું નથી. પર૮) *
इह अक्खेव-पसिद्धी उ - जह पडदेसम्मि पडो, गामो वा गामएगदेसम्मि । लोगस्स एगदेसे, वट्टइ तह लोगसद्दोऽवि ॥५२९॥ इहाक्षेप-प्रसिद्धी तुयथा पटदेशे पटो ग्रामो वा ग्रामैकदेशे । लोकस्यैकदेशे वर्तते तथा लोकशब्दोऽपि ।।५२९।। અહીં શંકા-સમાધાન (અથવા ચાલના-પ્રત્યવસ્થાન) આ પ્રમાણે છે
જેવી રીતે પટના એક ભાગમાં પટનો પ્રયોગ થાય છે, ગામના એક ભાગમાં ગામ શબ્દનો પ્રયોગ થાય છે, તેવી રીતે લોકના એક ભાગમાં લોક શબ્દનો પણ પ્રયોગ થાય છે. (પર૯)
लोगस्सुज्जोयगरा, चंदाईयाऽवि तेण भन्नति । तेसिं वोच्छेयत्थं, भणियमिणं धम्मतित्थगरे ॥५३०॥
૨૩)