________________
૨૨ કાયોત્સર્ગ પારીને નમોહતું બોલીને યક્ષ વગેરે દેવની સ્તુતિ બોલવી. ૭૮૮ ૨૩ ફરી પૂર્વવત્ નમુત્થણ વગેરે સૂત્રો બોલીને ચારથોયોથી વંદન કરવું. ૭૮૯ ૨૪ નમુત્થણ અને જાવંતિ સૂત્ર બોલવા.
૮૩૪-૫ ૨૫ ખમાસમણું આપીને જાવંત કેવિ સાહૂ સૂત્ર બોલવું.
(૮૩૮ ૨૬ સ્તવન બોલવું.
૮૪૦ ૨૭ નમુત્થણે સૂત્ર બોલવું.
૮૪૪ ૨૮ જય વીયરાય સૂત્ર બોલવું.
૮૪૫-૭-૮ ઉક્તવિધિમાં અને વર્તમાન પ્રચલિત ઉત્કૃષ્ટ દેવવંદનની વિધિમાં થોડો ફેરફાર છે. જેમકે – (૧) સકલકુશલવલ્લિ સૂત્ર બોલવાનું આમાં જણાવ્યું નથી. . (૨) નમુત્થણં સૂત્ર બોલ્યા પછી ઈરિયાવહિયા કરવાનું લખ્યું છે. (૩) ચૈત્યવંદન એકજ વખત આવે છે, વર્તમાનમાં ત્રણ વખત ચૈત્યવંદન
બોલાય છે. (૪) આચાર્યાદિને વંદન હમણાં થતું નથી. (પ્રતિક્રમણમાં થાય છે.) (૫) થોયના એક જોડામાં મોડહંતુ0 ત્રણ વખત છે. વર્તમાનમાં બે વખત બોલાય છે.
અહીં સ્તુતિઓ બોલ્યા પછી પંચાંગ પ્રણિપાત કરવાનું જે કહ્યું છે તે નમુત્થણે સૂત્ર બોલતી વખતે પ્રારંભમાં જ નમોડથુ એ બે પદો બોલતાં બે ઢીંચણ, બે હાથ અને મસ્તકને ભૂમી ઉપર લગાડવા રૂપ હોવું જોઈએ.
નમુત્થણે સૂત્ર પછી જે પંચાંગ પ્રણિપાત કરવાનું લખ્યું છે તે નમુત્થણ સૂત્રના અંતે “સલ્વે તિવિહેણ વંદામિ” બોલતાં ઉક્ત રીતે પંચાંગ પ્રણિપાત સંભવે છે.
સર્વોત્કૃષ્ટ ચૈત્યવંદનનો વિધિ બતાવ્યા પછી ૮૮૦ થી ૯૦૦ સુધીની ગાથાઓમાં રૂપિયાના દષ્ટાંતથી ચૈત્યવંદનમાં શુદ્ધભાવ અને શુદ્ધક્રિયાની ઘટના કરી છે. વચ્ચે ૮૮૭ થી ૮૯૦ સુધીની ગાથાઓમાં પ્રાસંગિક પ્રીતિ આદિ ચાર અનુષ્ઠાનોનું નિરૂપણ કર્યું છે.
૯૦૧ ગાથામાં ભાવ વિના પણ જિનબિંબના વારંવાર દર્શનથી થતા લાભમાં શ્રાવક પુત્રનું દૃષ્ટાંત જણાવ્યું છે.
૯૦૫ થી ૯૧૦ ગાથાઓમાં સંઘનું માહાત્મ, સંઘની અવજ્ઞાથી અશુભ ફળની પ્રાપ્તિ અને સંઘના ગૌરવથી શુળ ફળની પ્રાપ્તિ વગેરેનો નિર્દેશ કરીને ગ્રંથ પૂર્ણ કંર્યો છે.