SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય અગ્નિઃ- આગ લાગે ત્યારે આગથી બચવા બીજા સ્થળે જાય તો કાયોત્સર્ગ ન ભાંગે (અથવા જ્યોતિનો કે વિજળીનો સ્પર્શ થાય ત્યારે કામળી વગેરે ઓઢે કે ખસે તો કાયોત્સર્ગનો ભંગ ન થાય.) છેદઃ— બિલાડી કે પુરુષ વગેરે પંચેંદ્રિય પ્રાણી પોતાના અને સ્થાપનાચાર્યજીના અંતરનો છેદ કરે, અર્થાત્ પંચેન્દ્રિયની આડ પડે= પંચેન્દ્રિય જીવ પોતાની અને સ્થાપનાચાર્યની વચ્ચેથી જાય તો આડને રોકવા ખસીને સ્થાપનાચાર્યની નજીકમાં આવે તો કાયોત્સર્ગનો ભંગ ન થાય. બોધિકક્ષોભઃ– મનુષ્યોને ચોરી જનારા= ઉઠાવી જનારા ચોરોને બોધિક કહેવામાં આવે છે. ક્ષોભ એટલે ભય. બોધિકક્ષોભ વખતે નાશી જવામાં કાયોત્સર્ગનો ભંગ ન થાય. (આદિ શબ્દથી રાજભય વગેરે સમજવું.) (૪૪૬) दीहो ति दीपट्टो, भुयंगमो तेण होज्ज जइ डक्को । तो तस्स पडीयारं, कारेज्ज करेज्ज वा जइ वि ॥ ४४७॥ दीर्घ इति दीर्घपृष्ठो भुजंगमस्तेन भवेद् यदि दष्टः । ततस्तस्य प्रतीकारं कारयेत् कुर्याद् वा यद्यपि ।।४४७।। દીર્ઘદ્રષ્ટઃ- દીર્ઘ એટલે સાપ. દષ્ટ એટલે દાયેલ = કરડાયેલ. સર્પ સ્વ-૫૨ને કરડે ત્યારે તેનો પ્રતિકાર કરે કે કરાવે તો કાયોત્સર્ગનો ભંગ ન થાય.(૪૪૭) भग्गो सव्वविणट्टो, विराहिओ देसनासमणुपत्तो । दोहं पि अभावाओ, उस्सग्गो होज्ज मम सुद्धो ॥ ४४८॥ भग्नः सर्वविनष्टो विराधितो देशनाशमनुप्राप्तः । द्वयोरपि अभावादुत्सर्गो भवेद् मम शुद्धः ।।४४८।। ભગ્ન એટલે સંપૂર્ણ નાશ પામેલો. વિરાધિત એટલે દેશથી નાશ પામેલો. બંનેના (સંપૂર્ણ નાશ અને દેશથી નાશ એ બંનેના) અભાવથી મારો કાયોત્સર્ગ શુદ્ધ થાઓ. (૪૪૮) ૧૯૭
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy