SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મહાભાષ્ય” એવું નામ છે. આ ગ્રંથનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે ૧૧મી ગાથામાં કેવો જીવ વંદન ક૨વાને યોગ્ય છે તે જણાવીને વંદનનો કાળ જણાવ્યો છે. આના અનુસંધાનમાં ભાવાનુવાદમાં પંચાશક ગ્રંથની ગાથાઓથી વંદન કરવા માટે કોણ યોગ્ય છે તે જણાવીને દ્રવ્યવંદન અને ભાવવંદનનાં લક્ષણો જણાવ્યાં છે. દરેક સાધકે આ લક્ષણોને બરોબર સમજીને પોતાની વંદના ભાવવંદના બને એ માટે પ્રયત્ન કરવો જોઈએ. વંદનનો કાળ જણાવતાં કહ્યું છે કે— સવારે સૂર્યોદય બાદ, બપોરે મધ્યાહ્ને અને સાંજે સૂર્યાસ્ત પહેલાં એમ ત્રિકાળ ચૈત્યવંદન કરવું જોઈએ. ૧૨-૧૩-૧૪ ગાથાઓમાં જિનને કરાતા વંદનને જિનવંદનં ન કહેતાં, ‘ચૈત્યવંદન’ કેમ કહેવામાં આવે છે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. ૧૫ થી ૨૫ સુધીની ગાથાઓમાં આચરણા પણ જિનાજ્ઞારૂપ છે એ સિદ્ધ કર્યું છે. કેવી આચરણા જિનાજ્ઞા રૂપ છે એમ જણાવતાં કહ્યું છે કે- અજ્ઞાતમૂળવાળી પણ આચરણા જો હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી અને આચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલી હોય તો સૂત્રની જેમ પ્રમાણ છે. ૨૬ થી ૧૫૨ સુધીની ગાથાઓમાં આચરણાથી થતી કેટલીક પ્રવૃત્તિઓમાં નિર્દોષતાનું સમર્થન કર્યું છે. જેમ કે- (૧) એક મંદિરમાં અનેક જિનબિંબો બિરાજમાન કરવામાં દોષ નથી. (૨) એક જિનબિંબ મોટું હોય અને બીજા બિંબો નાનાં હોય તેમાં કોઈ દોષ નથી. (૩) એક બિંબની પૂજા આદરથી વિશેષ રીતે કરાય અને બીજાં બિબોની પૂજા અલ્પ કરાય તો તેમાં દોષ નથી. (૪) પ્રક્ષાલનું પાણી જિનબિંબોને પરસ્પર સ્પર્શે તેમાં દોષ નથી. (૫) એક પટ્ટમાં કે એક પથ્થરમાં અનેક જિનબિંબોનું નિર્માણ નિર્દોષ છે. (૬) જિન વીતરાગ હોવા છતાં આભૂષણો વગેરેથી પૂજા કરવામાં દોષ નથી. (૭) એકવાર ચઢાવેલાં વસ્ત્ર-આભૂષણો ફરી ચઢાવવામાં બાધ નથી. ૧૫૪ થી ૧૭૩ સુધીની ગાથાઓમાં ચૈત્યવંદનના નવભેદ જણાવ્યા છે. ૧૭૪ થી ૧૭૮ સુધીની ગાથાઓમાં અધિકા૨ીના ભેદથી ત્રણ પ્રકારની વંદના બતાવી છે. ચૈત્યવંદનનો વિધિ જણાવવા માટે ૧૭૯ થી ૨૫૪ સુધી દશત્રિકનું વર્ણન કર્યું છે. તેમાં અનેક વિષયોનું બોધપ્રદ વર્ણન છે. ૨૬૧ ગાથામાં ચૈત્યવંદનથી થતા લાભનો નિર્દેશ કર્યો છે. ૨૬૩ થી ૮૭૪ સુધીની ગાથાઓમાં સર્વોત્કૃષ્ટ દેવવંદનનો વિધિ અને તેમાં આવતાં સૂત્રોના અર્થો જણાવ્યા છે.
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy