SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય . અહીં બહુવચન પુરુષ એકાંતવાદના ખંડન માટે છે, તથા બધાય અરિહંતો સમાન ગુણવાળા છે એવી ભાવના માટે છે, અર્થાત્ બધાય અરિહંતો સમાન ગુણવાળા છે એવું જણાવવા માટે બહુવચન છે. વિશેષાર્થ – અહીં “અરિહંતને નમસ્કાર થાઓ એમ એકવચનનો પ્રયોગ કરવાને બદલે “અરિહંતોને” નમસ્કાર થાઓ એમ બહુવચનનો પ્રયોગ કેમ કર્યો? એવા પ્રશ્નના સમાધાનમાં અહીં કહ્યું કે બહુવચન પુરુષ એકાંતવાદના ખંડન માટે છે. પુરુષ એકાંતવાદ એટલે જગતમાં એક જ પુરુષ = આત્મા છે એવો મત. આને દર્શનશાસ્ત્રમાં આત્માતમત કે પુરુષાદ્વૈતમત કહેવામાં આવે છે. આત્માતને માનવાનાં કારણો આત્માદ્વૈત એટલે આત્માનું અદ્વૈત આત્માનું અદ્વૈત એટલે એક માત્ર આત્મા. શાસ્ત્રવચન છે કે વૃદ્મવત્ ર્વતી સંાતાનાં સ્થિતિ =બ્રહ્મ સાથે સંકળાયેલાની બ્રહ્મની જેમ સ્થિતિ હોય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે- એક શુદ્ધ આત્મા તે બ્રહ્મ. આ બ્રહ્મ જગતનું મૂળ કારણ છે. એમાંથી જીવ અને જડ જગતનું સર્જન થાય છે, અને અમુક સમય પછી જીવ અને જગતનો લય થાય છે. અમુક સમય પછી ફરી બ્રહ્મમાંથી જીવ- જગતનું સર્જન થાય છે. ફરી લય થાય છે, ફરી સૃષ્ટિ થાય છે. આમ સૃષ્ટિ–લયનું ચક્ર ચાલ્યા કરે છે. (લ. વિ. મુત્તાઈ મોગપITUાં પદમાં) આ વિષે વેદાન્તીઓ આ પ્રમાણે કહે છે – બ્રહમ સત્ય ના મિત્ર એક બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યારૂપ છે. તથા– સર્વ વૈ રવત્વિ વૃદમ, ને નાનાઆસ્તિ વિઝન | आरामं तस्य पश्यन्ति, न तत्पश्यति कञ्चन || દેખાતું આ બધું બ્રહ્મસ્વરૂપ જ છે. એમાં કોઈ ભિન્ન ભિન્ન રૂપ નથી, અર્થાત્ બ્રહ્મથી અતિરિક્ત કોઈ વસ્તુ નથી.જે દેખાય છે તે બધું જબ્રહ્મનો પ્રપંચ જ(=બ્રહ્મના પર્યાયો) દેખાય છે. પરંતુ બ્રહ્મને કોઈ જીવ દેખી શકતો નથી. પ્રશ્નઃ– બ્રહ્મથી ભિન્નરૂપે બધું પ્રત્યક્ષ દેખાય છે તેનું શું? ૧૬૦
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy