SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય જેવી રીતે મનુષ્યો કમળને મસ્તકે ધારણ કરે છે તેવી રીતે મનુષ્યો વગેરે અરિહંતોની આજ્ઞા માનવા દ્વારા અરિહંતોને પોતાના મસ્તકે ધારણ કરે છે. અહીં મસ્તકે ધારણ કરવાની સમાનતાથી અરિહંતોને પુંડરીક જેવા કહ્યા છે. (૩૧૦) ____ पुरिसा वि जिणा एवं, पत्ता वरपुंडरीयउवमाणं । जह गंधहत्थिउवमा, पत्ता तह संपयं वोच्छं ॥३११॥ पुरुषा अपि जिना एवं प्राप्ता वरपुण्डरीकोपमानम् । यथा गन्धहस्त्युपमा प्राप्तास्तथा सांप्रतं वक्ष्ये ।।३११।। અરિહંતો પુરુષ હોવા છતાં આ પ્રમાણે શ્રેષ્ઠ પુંડરીકની ઉપમાને પામ્યા છે. હવે અરિહંતો જે પ્રમાણે ગંધહસ્તીની ઉપમાને પામ્યા છે તે પ્રમાણે કહું છું. (૩૧૧) - जह गंधहत्थिगंधं असहंता कुंजरा पलायंति । ढुक्कंति नेव समरे, एगस्स वि ते अणेगा वि ॥३१२॥ यथा गन्धहस्तिगन्धमसहमानाः कुञ्जराः पलायन्ते । ढौकन्ते नैव समरे एकस्यापि तेऽनेके अपि ।।३१२।। इय जत्थ जिणो विहरइ, देसे जोयणसयाउ तत्तो उ। रोगो-वसग्गकरिणो, सव्वे दूरेण नासंति ॥३१३॥ આ રૂતિ યત્ર નિનો વિહરતિ વેશે યોગનશતાત્ તતસ્તુ | રો- પરિગ: સર્વે ત્રણ નશ્યક્તિ પારૂરૂા. જેવી રીતે ગંધહસ્તીની (= જેના શરીરમાંથી સદા ગંધ પ્રસરે છે તેવા હાથીની) ગંધને સહન નહિ કરી શકતા બીજા હાથીઓ પલાયન થઈ જાય છે, યુદ્ધમાં 'ગંધહસ્તી એક જ હોય છે, અને બીજા હાથીઓ અનેક હોય છે તો પણ તે હાથીઓ ગંધહસ્તીની પાસે આવતા જ નથી. તેવી રીતે જે દેશમાં અરિહંત વિચરે છે ત્યાં સો યોજન સુધી બધા રોગ-ઉપસર્ગરૂપી હાથીઓ દૂરથી ભાગી જાય છે. વિશેષાર્થ – અહીં ઉપર અને નીચેની દિશાની વિવક્ષા વિના ચાર ૧૪૩
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy