SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય व्याख्या-गाथेयं प्रायो निगदसिद्धैव, चालना प्रत्यवस्थानमात्रं त्वभिधियते, कश्चिदाह- अर्थोऽनभिलाप्यः, तस्य अशब्दरूपत्वात्, अतस्तं कथमसौ भाषत इति, उच्यते, शब्द एव अर्थप्रत्यायनकार्यत्वाद् उपचारतः खलु अर्थ इति, यथा आचारवचनत्वाद् आचार इत्यादि, 'निपुणं' सूक्ष्मं बह्रर्थं च नियतगुणं वा निगुणं, सन्निहिताशेषसूत्रणमिति यावत्, पाठान्तरं वा 'गणहरा निपुणा निगुणा वा' ।। ९२ । । (आवश्यकसूत्रनिर्युक्तिगाथा-९२) કારણકે અરિહંતો અર્થને કહે છે. ગણધરો શાસનના હિત માટે નિપુણ (= નિર્દોષ) સૂત્રોની રચના કરે છે. ત્યારબાદ સૂત્ર પ્રવર્તે છે. વિશેષાર્થઃ— તીર્થંકરો પોતાના ગણધર શિષ્યોને સમ્પન્ગેડુ વી, विगमेइ વા, ધ્રુવેડ્ વા એ ત્રિપદી (= ત્રણ પદો) કહે છે. આનો અર્થ આ પ્રમાણે છે— વિશ્વના સમસ્ત પદાર્થો ઉત્પન્ન થાય છે, એ જ સયે નાશ પામે છે, અને એ જ સમયે સ્થિર રહે છે. આ ત્રિપદી સાંભળતાં જ તીર્થંકરનામ કર્મના પ્રભાવથી અને ગણધરોની વિશિષ્ટ યોગ્યતાથી ગણધરોને શ્રુતજ્ઞાનાવરણ કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે. આથી તેઓ દ્વાદશાંગીની રચના કરે છે. અહીં તીર્થંકરોએ પહેલાં ત્રિપદી કહી, તેથી ગણધરોએ દ્વાદશાંગી રચી. માટે તીર્થંકરો શ્રુતધર્મની આદિ કરનારા છે. આવશ્યકસૂત્રનિર્યુક્તિગાથાની ટીકા આ પ્રમાણે છે— • આ ગાથા પ્રાયઃ બોલવાથી અર્થ સમજાઈ જાય તેવી જ છે. તેથી માત્ર પ્રશ્નઉત્તર કહેવાય છે. પ્રશ્ન- અર્થ અનભિલાપ્ય છે= બોલી શકાતો નથી. કારણ કે અર્થ શબ્દ રૂપ નથી. (શબ્દ જ બોલી શકાય છે.) આથી તીર્થંકર અર્થને કેવી રીતે કહે ? ઉત્તર- શબ્દનું અર્થને જણાવવું એ કાર્ય છે. આથી કારણમાં કાર્યના ઉપચારથી શબ્દ જ અર્થ છે. જેમકે આચારાંગ સૂત્ર આચારના વચનવાળું હોવાથી આચાર કહેવાય છે. નિપુણ એટલે સૂક્ષ્મ, અથવા ઘણા અર્થવાળું. ગણધરો સૂક્ષ્મ અથવા ઘણા અર્થવાળું સૂત્ર રચે છે. ૧૩૮
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy