________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
જિનમાં જ સ્થિર ચિત્તવાળો જીવ ત્રીજી પૂજામાં ત્રણે લોકમાં વસ્ત્રઆભૂષણ વગેરે જે સુંદર વસ્તુ હોય તેને મનથી મેળવે છે, અર્થાત્ માનસિક વિચા૨થી શ્રેષ્ઠ વસ્તુને મેળવીને કરાતી પૂજા એ ત્રીજી નિર્વાણ સાધની પૂજા છે. (૨૧૫)
ષોડશક ગ્રંથની ગાથા, ટીકા અને ટીકાનો અર્થ આ પ્રમાણે છે— त्रैलोक्यसुंदरं यन्मनसाऽऽपादयति तत्तु चरमायां अखिलगुणाधिक-सद्योगसारसद्ब्रह्मयागपरः । । ९ / १२ । ।
त्रैलोक्ये- त्रिषु लोकेषु सुन्दरं प्रधानं यत् पारिजातकुसुमादि नन्दनवनगतं तत्तु- तदेव मनसा-अन्तःकरणेन आपादयति-उपनयति चरमायां-निर्वाणस्त्राधन्यां,तद्दाते' त्य त्राप्यभिसम्बध्यते । अयमेव विशिष्यते अखिलैः गुणैरधिकं सद्योगानां- सद्धर्मव्यापाराणां सारं-फलकल्पं अजरामरत्वेन हेतुना यत् सद् बह्म-परमात्मस्वरूपं तस्य याग:-यजनंपूजनं, तत्परः तदेकदत्तबुद्धिः । अखिलगुणाधिकस्य हि पूजाऽखिलगुणाधिकं पूजोपकरणं मनसिं निधायाऽतिशयितपरितोषाय बुद्धिमता विधेयेत्यर्थः (षोडशक ९/१२)
પૂજક ત્રીજી પૂજામાં નંદન વનમાં રહેલા ત્રિલોકસુંદર એવા પારિજાતના ફૂલ વગેરેને મનથી લાવે છે. અર્થાત્ મનથી વિચારે કે હું નંદનવનમાં ગયો અને ત્યાંથી પારિજાતના ફૂલ વગેરેને લઈ આવ્યો. એ પુષ્પો વગેરેથી પરમાત્માની પૂજા કરી.
પૂજક કેવો હોવો જોઈએ તે શ્લોકના ઉત્તરાર્ધથી જણાવે છે- બધા ગુણોથી ચઢિયાતું, સુંદર ધર્મ પ્રવૃત્તિના ફળસમાન અને અજરામરપણાના કારણે સદ્ એવું જે પરમાત્મસ્વરૂપ બ્રહ્મ, તે બ્રહ્મની પૂજામાં જ એક દત્તચિત્તવાળો પૂજક હોય.
અહીં ભાવાર્થ એ છે કે — બુદ્ધિમાન પૂજકે પોતાને વિશિષ્ટ આનંદ ઉપજે એ માટે સર્વગુણોથી શ્રેષ્ઠ એવા પરમાત્મ સ્વરૂપ બ્રહ્મની પૂજા સર્વ ગુણોથી શ્રેષ્ઠ એવાં પૂજાનાં ઉપકરણોને મનમાં લાવીને ક૨વી જોઈએ.
निच्चं चिय संपुन्ना, जइ वि हु एसा न तीरए काउं । તદ વિ અનુચિદ્ગિગના, અલ-ઢીવાફવાળેળારા
૯૬