SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. હે દેવ ! આ દેશની આ ઉઘરાની છે. એ પ્રમાણે જાણો. રાજાએ પણ કહ્યું - મારા આદેશ વિના ક્યાંથી કરાવ્યું ? ક૭૩. ૨૩. સજ્જને કહ્યું – દહેરાસરના પુણ્યની જ એક શ્રેષ્ઠ ઈચ્છાવાળા આ વ્યાપારીઓ તમારી કૃપાથી સમૃદ્ધ છે. ૬૭૪. ૨૪. તેઓ તમારા ધનને આપશે. તેથી મારા પર કોપ ન કરો. હે સ્વામી!સુવર્ણ (ધન) અથવા દહેરાસરનું પુણ્ય, જે તમને રૂચે ગમે) તે ગ્રહણ કરો. ક૭૫. ૨૫. એ પ્રમાણે કહેતે છતે રાજા બોલ્યો. મને દહેરાસરનું પુણ્ય હો. પરંતુ મારા નામ વડે જ આ દહેરાસર કહેવાય. તેણે (મંત્રીએ) પણ રાજાને કહ્યું. ક૭૬. રક. આ દેવનો પ્રાસાદ છે. આ સર્વે પણ દેખાય છે (તે આપની જ કૃપા છે) ગરીબ એવા મારું કીર્તિને કરનાર કીર્તન કેવું ? ક૭૭. ૨૭. ત્યારબાદ પુણ્યવાન એવા તેના પર અત્યંત ખુશ થયેલ રાજાએ ફરીથી વ્યાપાર (દહેરાસરનું કાર્યો તેને સમર્પણ કરીને પોતે પ્રભાસપાટણમાં ગયો. ક૭૮. - ૨૮. ત્યારબાદ સજ્જને પણ ભક્તિથી રેશમી વસ્ત્રવાળી ધ્વજાને ગિરનારથી આરંભીને શત્રુંજય સુધી વિસ્તારી. ક૭૯. ૨૯. (બાણ - પની સંખ્યા, અષ્ટ - આઠની સંખ્યા, રૂદ્ર - ૧૧ ની સંખ્યા) વિક્રમ સંવત-૧૧૮૫ વર્ષે સજ્જન મંત્રીએ આ દહેરાસર કરાવ્યું. ૧૮૦. ૩૦. તેના વડે જૂના નાણા સ્વરૂપ ટંકનો એક ક્રોડ બહોંતેર લાખ પ્રમાણ ધનનો વ્યય કરાયો. એ પ્રમાણે આપ્ત પુરુષો કહે છે. ૯૮૧. ઉપદેશ સપ્તતિ ૯૨
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy