________________
ઘૂવડપક્ષી દિવસે.જોઈ શકતો નથી અને રાત્રે કાગ જોઈ શકતો નથી. પણ કામાંધ પુરષો તો એ બંનેથી કોઈ અપૂર્વ જ છે કે જે દિવસે કે રાતે જોઈ શકતો જ નથી, સર્વદા અંધ છે. ૩૧॥
देहीति वचनं श्रुत्वा देहस्थाः पञ्च देवताः । नश्यन्ति तत्क्षणादेव श्रीहीधीधृतिकीर्तयः ।। ३२ ।।
‘આપો’ એવું વચન સાંભળતાં દેહમાં રહેલ લક્ષ્મી, લજ્જા, બુદ્ધિ, ધૃતિ અને કીર્તિ એ પાંચ દેવતાઓ તરત જ ભાગી જાય છે. ।।૩૨।
दुरितवनघनाली शोककासारपाली,
भवकमलमराली पापतोयप्रणाली ।
विकटकपटपेटी मोहभूपालचेटी;
विषयविषभुजङ्गी दुःखसारा कृशाङ्गी ।। ३३॥ પાપ-વનને સિંચવામાં મેઘમાળારૂપ, શોકરૂપ સરોવરની પાળરૂપ, સંસારરૂપ કમળની રાજહંસીરૂપ, પાપરૂપ પાણીની નીકરૂપ, વિકટકપટની પેટીરૂપ, મોહરાજાની દૂતીરૂપ અને વિષય-વિષની નાગણરૂપ એવી સ્ત્રી ખરેખર માત્ર દુઃખરૂપ જ છે. 113311
दर्शनाद्धरते चित्तं स्पर्शनाद्धरते बलम् ।
संगमाद्धरते वीर्यं नारी प्रत्यक्षराक्षसी ।। ३४ ।।
દર્શનથી જે મનને હરે છે, સ્પર્શથી બળને હરે છે, અને સંગમથી વીર્યને હરે છે, માટે અહો ! સ્ત્રી સાક્ષાત્ રાક્ષસી સમાન જ છે. II૩૪॥ दाराः परभवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः । कोऽयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशा ।। ३५ ।। સ્ત્રીઓ પરભવના કારાગૃહરૂપ છે, બંધુજનો બંધનરૂપ છે અને વિષયો વિષરૂપ છે. અહો ! તથાપિ લોકોને આ મોહ કેવો છે કે જેઓ શત્રુઓમાં પણ મિત્રની આશા રાખી બેઠા છે. ઉપા
૧૨૧