SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિભોજન, પરસ્ત્રીગમન, બોળ અથાણું અને અનંતકાયનું ભક્ષણ, એ ચાર નરકના દ્વારા કહેવામાં આવ્યા છે. જો चौर्यं पापद्रुमस्येह वधबन्धादिकं फलम् । जायते परलोके तु फलं नरकवेदना ।।५।। ચોરીરૂપ પાપવૃક્ષનું ફળ આ લોકમાં વધ, બંધાદિક પ્રાપ્ત થાય છે અને પરલોકમાં નરકની વેદના ભોગવવી પડે છે. પો ' ' चेतोहरा युवतयः स्वमनोनुकूलाः, - સવાWવા. પ્રાયમરિશ્વ મૃત્યા | गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गाः .. નયનોને દિ વિશ્વિત્તિ પદા પોતાના મનને અનુકૂલ અને સૌંદર્યવતી યુવતિઓ હોય, સારા બાંધવો હોય, પ્રેમાળવચન બોલનારા ચાકરો હોય, હાથીઓ ગાજતા હોય, અને ચપળ અવ્યો હોય પણ જ્યારે આંખ મીંચાઈ જાય એટલે એમાંનું કંઇ પણ રહેતું નથી.કા चत्वारः प्रहरा यान्ति देहिनां गृहचेष्टितैः । तेषां पादे तदर्थे वा कर्तव्यो धर्मसङ्ग्रहः ।।७।। ઘરનાં કાર્યોમાં મગ્ન થયેલા પ્રાણીઓના ચારે પ્રહર ચાલ્યા જાય છે, માટે તેમાં એક પ્રહર અથવા અર્ધ પ્રહર પણ ધર્મસંગ્રહ કરવો તે ભવ્યજનોને ઉચિત છે. ૭ चक्षुर्दग्धं परस्त्रीभि-हस्तौ दग्धौ प्रतिग्रहैः । जिह्वा दग्धा परान्नेन गतं जन्म निरर्थकम् ।।८।। પરસ્ત્રીઓનું અવલોકન કરવાથી નેત્ર દગ્ધ થયાં, બીજાઓની વસ્તુઓ લેતાં હસ્ત દગ્ધ થયા અને પરનું અન્ન જમતાં જીભ દગ્ધ થઈ, એમ બધો જન્મ નિરર્થક ગયો. I૮.
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy