SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક પ્રકાશન અંગેની તમામ જવાબદારી પોતાના શિરે લઇ, પોતાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોગ્ય સમયે સલાહ સૂચન દ્વારા સંશોધનના રસને ઉત્તેજિત કરનારા સંશોધન પ્રેમી વિદ્વદર્ય પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. પરોપકારી તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રયશવિજયજી મ.સા. • કાર્યમાં પ્રોત્સાહિત કરનારા વિદ્વદર્ય મુનિરાજશ્રી પૂ. ભાગ્યેશવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાયશવિજયજી મ.સા. અજોડ આરાધિકા પૂ. દાદીગુરુણીશ્રી મનકશ્રીજી મ.સા. ' જીવનશિલ્પના ઘડવૈયા વાત્સલ્ય ગંગોત્રીસમા પૂ. ગુરુણીશ્રી સુવર્ણાશ્રીજી મ.સા. • પુસ્તક પ્રકાશન અંગે દ્રવ્યવ્યય માટે મંડાર શ્રી જૈન સંઘને પ્રેરણાં કરનારા સ્વાધ્યાય પ્રેમી પૂસા. શ્રી ધર્મરતાશ્રીજી મ.સા. * તથા પૂ. સા. શ્રી પુષ્પામિત્રાશ્રીજી મ.સા. અનન્યોપકારિણી પરમહિનૈષિણી તપસ્વિની ગુરુમાતાશ્રી સત્યરેખાશ્રીજી મ.સા. સર્વે પૂજ્યોના ચરણકજે ભાવભરી વંદના.... ..અવસરે કેમ વિસરાય... . આ ગ્રન્થનું અધ્યયન કરાવનાર તથા ઘણી પ્રવૃત્તિ વચ્ચે પણ સમય કાઢીને આ ભાવાનુવાદને સાદ્યન્ત તપાસી આપનાર તેમાં યોગ્ય સલાહ સૂચન આપનારા પંડિતવર્ય શ્રી ધીરૂભાઇની ઉપકાર સ્મૃતિ પણ સહેજે થઈ આવે છે. પુસ્તક પ્રકાશનના પ્રથમ પ્રયાસને કારણે તઘોગ્ય જાણકારીનો અભાવ હોવા છતા વિના મુશ્કેલીએ સુંદર રીતે મુદ્રણાદિને સૌષ્ઠવ આપનારા કિરીટ ગ્રાફીક્સના શ્રીયુત કિરીટભાઈ, શ્રેણિકભાઈ, આદિને આ અવસરે કેમ વિસરાય? આ ભાવાનુવાદમાં છદ્મસ્થતા અનાભોગ, પ્રમાદને કારણે પરમપવિત્ર જિનાજ્ઞાને પ્રતિકૂળ કંઈ પણ થયું હોય અને કંઈપણ ક્ષતિ થઈ હોય તો એ બદલ મિચ્છામિ દુક્કડમ્ દેવાપૂર્વક સુજ્ઞજનોને તે ક્ષતિને ક્ષમ્ય કરવા વિનમ્રભાવે વિનંતી કરું છું. વિર્લેપાર્લા-મુંબઈ લિ. પૂજ્ય પ્રસત્તિપાત્રી સત્યશિશુ વિ.સં. ૨૦૫૮
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy