________________
આ. ચક્રેશ્વરસૂરિ અને શેઠ સિદ્ધદેવ બંને થારાપદ્રગચ્છના અને બંને મડાહડ(મંડાર) ના હતા. આથી માનવું પડે છે કે, થારાપદ્રગચ્છના આ. વર્ધમાનસૂરિના શિષ્ય આ. ચક્રેશ્વરસૂરિથી મડાહડગચ્છ શરૂ થયો.
પ્રતિમાલેખોને આધારે જણાય છે કે, મડાહડગચ્છ એ વટેશ્વરગચ્છની એક શાખા છે. સાધારણ રીતે વડગચ્છ અને વટેશ્વરગચ્છ એક મનાય છે, તેથી તે વડગચ્છની શાખારૂપે નોંધાયો છે. ખાસ નોંધપાત્ર ઘટના એ છે કે, આ સંવિજ્ઞવિહારી ગચ્છ (સં. ૧૧૮૭, સં. ૧૩૩૫, સં. ૧૩૩૭, સં. ૧૩૩૮) હતો. સં. ૧૩૩પ અને સં. ૧૩૭૭, સં. ૧૩૭૧, સં. ૧૩૮૭ ના પ્રતિમાલેખોમાં મડદકીય અને મડદડીયા ના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. એટલે એ વાત ચોક્કસ થાય છે કે, વટેશ્વરગચ્છના આ. ચકેશ્વરસૂરિથી મડાહડગચ્છ શરૂ થયો. ;
(પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨, લેખાંક: ૧૮૪,૨૮૪,૨૧,૨૯૨,૫૫૦) અર્બદ પ્રાચીન જૈન લેખસંદોહ, લેખાંક : ૧૧૪ (૨૯૭, ૫૪૩)
મડાહડગચ્છની ઘણી પરંપરાઓ ચાલી છે. તેમજ તેમાંથી રત્નપુરા, જાખડિયા, જાલોર વગેરે શાખાઓ નીકળી છે. ( જૈ. ૫. ઈ. પૃ. ૨૦૫).
૨૪