SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના અનુમાનના હેતુને અન્ય દર્શનકાર, વ્યભિચારી બતાવે છે. તેનું ખંડન કરતા જણાવે છે. उपादानबुद्धयाऽऽदिना प्रमाणाद् भिन्नेन व्यवहितफलेन हेतोर्व्यभिचार इति न विभावनीयम् ।६-७। સૂકાઈ- ઉપાદાનબુદ્ધિ આદિ રૂપ વ્યવહિતલ જે પ્રમાણથી સર્વથા ભિન્ન છે તેથી ઉપરોક્ત હેતુમાં વ્યભિચાર આવે છે એવું વિચારવું નહિ. प्रमाणाद् भिन्ने उपादानबुद्ध्यादौ उक्तलक्षणो हेतुर्वर्तते अतो व्यभिचार તિ ન વિભાવનીયમ્ II ૭ . ટીકાર્ય-પ્રમાણથી ભિન્ન ઉપાદાનબુદ્ધિ આદિમાં (લમાં) ઉપર કહેલા લક્ષણવાળો પ્રમાઈસ્તત્વ. હેતુ વર્તે છે. માટે વ્યભિચાર આવે છે. એમ વિચારવું નહિ વિશેષાર્થ-ગ્રન્થકારશ્રી એ પૂર્વ સૂત્રમાં બતાવેલ હેતુને અહિંઅન્ય મત વાળા હેત્વાભાસ તરીકે સિદ્ધ કલવા પ્રયાસ કરે છે. અહિં હેતુને અનૈકાન્તિક બનાવીને ખોટો સિદ્ધ કરે છે જે હેતુ સાધ્યની બહાર વર્તે છે તે અનૈકાન્તિક : (વ્યભિચારી) છે. વ્યક્તિ નિમિન એવું જે પૂર્વ અનુમાનમાં સાધ્ય છે તેનો અભાવ એટલે કે એકાંત ભિન્ન કે એકાંત અભિન્નમાં “પ્રમાણપર્વ” નામનો હેતુ વર્તે છે. તે આ પ્રમાણે મતિજ્ઞાન આદિનું વ્યવહિત=આંતરાવાળુ ફળ (મોક્ષફળ) છે તેવા એટલે કે મતિજ્ઞાની જીવોને પાંચ કે પચીસ વિગેરે ભવો - પછી મોક્ષ મળે છે અને પ્રમાણ તો (જ્ઞાન) પહેલાં થાય છે માટે પ્રમાણથી વ્યવહિત ફળ એકાંતે ભિન્ન હોવાથી સાધ્ય જે ભિન્નભિન્ન તેના અભાવમાં એટલે કે એકાંત ભિન્નમાં આ હેતુ રહી જતો હોવાથી વ્યભિચાર દોષવાળો છે આવું જયારે કોઈક કહે છે ત્યારે ગ્રન્થકાર જણાવે છે કે આવી શંકા કરવી નહીં તમે જે હેતુને હેત્વાભાસ તરીકે માનો છો તે વાતનું ખંડન કરતા જણાવે છે. સત્ર હેતુમહિ – तस्यैकप्रमातृतादात्म्येन प्रमाणादभेदव्यवस्थितेः ॥६-८॥ સૂત્રાર્થ-કારણ કે તે ઉપાદાનબુદ્ધિ આદિ રૂપ વ્યવહિત ફલ એક પ્રમાતામાં ૨૦૭
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy