SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ स्मरणस्य उदाहरणम् - तत् तीर्थकरबिम्बमिति यथा ॥ ३-४ ॥ જેમ તે પરમાત્માનું બિંબ છે એ પ્રમાણેનું જ્ઞાન તે સ્મરણશાન છે. तदित्यनेन यत् प्राक् प्रत्यक्षीकृतं स्मृतं प्रत्यभिज्ञातं वितर्कितमनुमितं श्रुतं वा भगवतस्तीर्थकरस्य बिम्ब-प्रतिकृतिः, तस्य परामर्शः ॥ ४ ॥ ત” એ કહેવાવડે જે પૂર્વે પ્રત્યક્ષ કરાયું હોય વિચારાયું હોય, અનુમાન કરાયું હોય અથવા તો સાંભળ્યું હોય તે ભગવાન તીર્થંકરની આકૃતિ-પ્રતિમા તેનો વિચાર કરવો તે (સ્મરણનું) સ્વરૂપ છે. વિશેષાર્થ : પૂર્વે પરમાત્માનું બિંબ કે ગિરિરાજ વિગેરે જોયેલા હોય ત્યારબાદ તેના સંસ્કાર હૈયામાં ધારણ કરી રાખ્યા હોય તે સંસ્કાર ગમે ત્યારે પ્રગટ થાય ત્યારે તે સ્મરણજ્ઞાનના કારણરૂપ બને છે. સંસ્કાર પામેલો જે પદાર્થ છે તે સ્મરણનો વિષય બને છે. જેમ કે પરમાત્માની મૂર્તિ કે શત્રુંજયાદિ, ત્યારબાદ તે સ્મરણજ્ઞાનનો આકાર-તે પરમાત્માની પ્રતિમા કે તે શત્રુંજય છે આ સ્મરણજ્ઞાનનું સ્વરૂપ છે. ભૂતકાળમાં આપણે જે બિંબ પ્રત્યક્ષ જોયેલુ હોય અથવા સ્મરણમાં લાવેલું હોય, અથવા પ્રત્યભિજ્ઞાનથી જાણેલું હોય, અથવા તર્કથી માનેલું હોય, અથવા અનુમાનથી કલ્પેલું હોય, અથવા આગમાદિ શાસ્ત્રોથી જાણેલું હોય, ઇત્યાદિ કોઇપણ પ્રકારના અનુભવથી જોયેલું કે જાણેલું તીર્થકરબિંબ આજે નજર સમક્ષ હાજર ન હોવા છતાં યાદ આવે (સ્મૃતિગોચરથાય) તેનો પરામર્શ વિચારવિશેષ મનમાં આવે તે સર્વ આવા પ્રકારના તત્ શબ્દના પ્રયોગથી વપરાતું જે જ્ઞાન મનમાં થાય છે તે સર્વે સ્મરણ કહેવાય છે તત્ શબ્દ સાક્ષાત્ હોય અથવા ન હોય તો પણ તેની યોગ્યતા તો રહેલી છે. . अथ कारणादिभिः प्रत्यभिज्ञानं ज्ञापयन्ति - પ્રત્યભિજ્ઞાનનું સદૃષ્ટાન્ન સ્વરૂપ જણાવે છે. अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्खतासामान्यादिगोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् ॥ ३-५ ॥ ૭૧
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy