SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - (પાઠ-૧) પ્રશ્ન - ૧ ક્રિયાપદ એટલે શું ? ઉત્તર - ૧ ચોક્કસ વ્યક્તિની પ્રથમપુરૂષ વિ૦) ચોક્કસ કાળની (ભૂત-ભવિષ્ય આદિ) ચોક્કસક્રિયાને જણાવનારું જે પદ તે ક્રિયાપદ દા.ત. ખાવું એ ક્રિયા...અને આ ક્રિયાને કરનાર “તે' નામના વ્યક્તિની વર્તમાનકાળની ક્રિયાને બતાવનાર જે રાતિ..એ...ક્રિયાપદ છે. એટલે કે તિ વિ.વિભક્તિનાં પ્રત્યયો લાગીને બનેલું જે રૂપ તે ક્રિયાપદ કહેવાય.. . પ્રશ્ન - ૨ ક્રિયા, ક્રિયાવાચક અને ક્રિયાપદનો તફાવત શું ? . ઉત્તર - ૨ પ્રત્યેક-પ્રાણીની નમવાની, કહેવાની, ભણવાની કરાતી જે ચેષ્ટા.. તે ચેષ્ટાને ક્રિયા કહેવાય છે અને એ ક્રિયાને જણાવનારા શબ્દો જેવા કે નમ્, , પવિ.ને ક્રિયાવાચક શબ્દ કહેવાય છે. જ્યારે ચોક્કસ વિભક્તિનાં ચોક્કસ પ્રત્યય લાગીને બનેલું રૂપ તે ક્રિયાપદ કહેવાય છે. ક્રિયાનું ચોક્કસ સ્થાનમાં રહેવું તે ક્રિયાપદ. દા. ત. નમતિ અહીં નમવાની ક્રિયા વર્તમાનકાળનાં ત્રીજા પુરુષનાં એ.વ. નાં નિયત સ્થાનમાં રહી છે. માટે તેને ક્રિયાપદ કહેવાય.. આ પ્રમાણે ક્રિયા=ચેષ્ટામાત્ર (શારીરિક-માનસિક) ક્રિયાવાચક–ચેષ્ટાને જણાવનાર શબ્દ (ધાતુ) અને ક્રિયાપદ=ચેષ્ટાને ચોક્કસ વિભક્તિનાં ચોક્કસપદનાં ચોક્કસવચનમાં વ્યવસ્થિત કરનાર રૂપ.. પ્રશ્ન - ૩ પ્રથમ ક્રિયાપદનું પ્રકરણ શા માટે ? ઉત્તર - ૩ કોઈપણ ભાષા વાક્ય વિનાની હોતી નથી અને વાક્ય માત્ર નામોથી થતું નથી. દરેક વાક્યમાં ક્રિયાપદ મુખ્ય હોય છે. દા. ત. કમલ મારો મિત્ર એટલા માત્રથી વાક્યનું પૂરેપૂરું જ્ઞાન થતું નથી. જ્યારે એમાં છે' એવું ક્રિયાપદ ભળશે ત્યારે વાક્ય પરિપૂર્ણ થશે. (કમલ મારો મિત્ર છે.) માટે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા હોવાથી પ્રથમ ક્રિયાપદનું પ્રકરણ બતાવેલ છે. ૨૮
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy