SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (પાઠ-૩૦) પ્રશ્ન - ૧ ધાતુનાં પ્રયોગો કેટલા પ્રકારે થાય ? ઉત્તર - ૧ ધાતુનાં પ્રયોગો ૩ છે. (૧) કર્તરિપ્રયોગ (૨) કર્મણિપ્રયોગ (૩) ભાવે પ્રયોગ.. કર્તરિ પ્રયોગ - કર્તરિપ્રયોગમાં કર્તામુખ્ય બને છે એટલે ક્રિયાપદ કર્તાને આધારે મૂકાય છે. રેવું નમામિ - હું દેવને નમસ્કાર કરું છું.... - કર્મણિપ્રયોગ - કર્મણિપ્રયોગમાં કર્મ મુખ્ય બને છે. એટલે ક્રિયાપદ કર્મને આધારે મૂકાય છે.દા.ત. મયા સેવન-મારા વડે દેવને નમસ્કાર કરાય છે. | ભાવે પ્રયોગ - અકર્મક ધાતુનો હોય છે ત્યાં માત્ર ક્રિયાની મુખ્યતા હોવાથી ક્રિયાપદ ત્રી.પુ.એ.વ. માં જ મૂકાય છે. મયા નીવ્યતે – મારા વડે જીવાય છે. તે પ્રશ્ન - ૨ ધાતુનાં કેટલા પ્રકાર ? (અવસ્થાની દૃષ્ટિએ....) ' '' ઉત્તર - ૨ અવસ્થાની દૃષ્ટિએ ધાતુ ત્રણ પ્રકારે છે. (૧) સકર્મક (૨) અકર્મક (૩) દ્વિકર્મક. (૧) સકર્મક ધાતુ - જે ધાતુનો પ્રયોગ થાય ત્યારે કર્મ હાજર હોય. દા.ત. તે પીવાનું રક્ષતિ – તે જીવોને બચાવે છે... અહીં નીવ – કર્મ હાજર છે. ' (૨) અકર્મક ધાતુ - જે ધાતુનાં યોગમાં કર્મ ન હોય. દા.ત. નર્ત ક્ષતિ - પાણી ટપકે છે. (૩) દ્વિકર્મક ધાતુ - જે ધાતુનાં યોગમાં બે કર્મ પણ આવી શકે દા.ત. નોપોડનાં પ્રામં નિયતિ - ગોવાળ બકરીને ગામમાં લઈ જાય છે. અહીં અગા-પ્રામ એ બન્ને કર્મ હોવાથી ની ધાતુ દ્વિકર્મક કહેવાય. આ પ્રશ્ન - ૩ સકર્મક-અકર્મક ધાતુની ઓળખાણ કેવી રીતે થાય ? ૯૩
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy