________________
શ્રી વીશસ્થાનક તપ
ગૌતમના આજીવન છઠ્ઠ તપને અનુલક્ષીને ૩+૨=૫ ઉપવાસથી પંદરમી ઓળી કરી એટલે કે ૧૦૦ ઉપવાસ છ મહીનામાં કર્યા. પ્રાયઃ અમારા સમુદાયમાં આ તપની આવી વાત જાણવામાં કે સાંભળવામાં આવી નથી.
૧૦
વિશેષમાં તપની સાથે સાથે જ્ઞાનોપાસનામાં પણ આ મુનિ સતત પ્રયત્નશીલ રહે છે. સંવત ૨૦૪૩ના આસો સુદ-૩થી શરૂ થયેલ વીશસ્થાનક તપની સાથે સાથે કર્મપ્રકૃતિના ભાગ ૧-૨-૩નો ભાવાનુવાદ કરી ગ્રંથરૂપે બહાર પડ્યા છે. (૩જો ભાગ પ્રેસમાં છે) જે અભ્યાસકોને માટે અતિ ઉપયોગી બન્યા છે. .
પોતાની નજીક આવેલ સેંકડો તપ પ્રેમીઓને આ તપની પ્રેરણા ફરતાં કેટલાયે ભાગ્યશાળીઓ આ તપમાં જોડાયા. મુનિશ્રી લીધેલ અથાક પરિશ્રમ સફળ અને સાર્થક બન્યો છે.
અંતે આ તપની આરાધનાથી સર્વ જીવો મોક્ષસુખના ભાગી બને એ જ શુભેચ્છા. . .
લી.
મહોબી
સુરત, ગોપીપુરા, વાડીનો ઉપાશ્રય,
વિ.સં. ૨૦૫૮ પો.વ.૧,
પૂ. ગુરુદેવ વિજય કસ્તૂરસૂરિ મ.સા.નો ૧૦૧મો જન્મદિવસ