________________
આરાધના વિવિ
(લોકોત્તરશાસનનું શાશ્વત તપ
લેખક: પ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. જગતના જીવમાત્રના કલ્યાણવાંછુ પરમકૃપાળુ પરમપિતા પરમાત્મા જગતપતિ તીર્થકર ભગવંતોની તીર્થંકર થવાના પૂર્વના ત્રીજા ભવે (૧) “સવિ જીવ કરૂ શાસનરસી” જગતના જીવમાત્ર પ્રત્યે અપૂર્વ-અમાપ ભાવદયા, (૨) વિશુદ્ધ સમ્યગદર્શન અને (૩) વિશસ્થાનક તપની આરાધના, સાધનાના આ ત્રિવેણી સંગમથી તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે. તીર્થકર નામકર્મ નિકાચિત કરવાનો આ એક અને માત્ર એક જ રાજમાર્ગ છે. અનંતા તીર્થંકર પરમાત્મા થયા - થાય છે અને થશે તે બધા જે આ જ રાજમાર્ગનો સહારો લઈને તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે.
અને તીર્થકર બન્યા પછી જગતના જીવમાત્ર પર અપાર-અમાપ કરૂણાનો નાયગરાનો ધોધ વહેવડાવી એના પંથે ચાલનાર કંઈક જીવોને અજન્મા બનાવી મુક્તિના મંગળ માર્ગના મુસાફીર બનાવે છે.
તેવા આ શ્રી વીશસ્થાનકની વિશેષ માહિતી સભર સપૂર્ણ વિધિ સાથે તે તે પદોની આરાધનાથી જે આરાધકોએ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે તેવા આરાધકોની જીવનગાથા ગાતી અનુમોદનીય કથાઓ પણ સાથે સાથે સામેલ કરી છે. જેથી આરાધકોનો વર્ષોલ્લાસ વધે.
આગળની બે આવૃત્તિ ખૂબ જ લોકપ્રિય અને લોકભોગ્ય બનતાં આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે.
શાસનસમ્રાશ્રીના સમુદાયની ગૌરવ લેવા જેવી વાત છે કે આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિ મ.સા.ના શિષ્ય તપસ્વી ગણિ કૈલાસચંદ્ર વિજય અટ્ટમથી 'આ તપની આરાધના કરી રહ્યાં છે. ઉપરાંત ગુરુ ગૌતમપદની આરાધના ગુરુ