SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ कार्याः? इति श्राद्धा भूयो भूयः पृच्छन्ति इति प्रश्नोऽत्रोत्तरम्-''छण्हं तिहीण मज्झम्मि का तिही अज्जवासरे' इत्याद्यागमानुसारेणाविच्छिन्नवृद्धपरंपरया च सर्वा अपि पूर्णिमाः पर्वत्वेन मान्या एवेति ।।१-४१।। પ્રશ્નઃ- “કાર્તિક સુદ ૧૫, ફાગણ સુદ ૧૫, અને અષાઢ સુદ ૧૫ આ ત્રણ જ પૂર્ણિમા પર્વ તરીકે કહેવાય છે કે સર્વ પૂર્ણિમા, એમ શ્રાવકો વારંવાર પૂછે છે તેનો શું ઉત્તર આપવો? ઉત્તર- “૧૭ તિથિઓની (સુદ ૮-૧૪-૧૫, વદ ૮-૧૪-) ) અંદર આજે કઈ તિથિ છે.” આ પ્રમાણેના આગમથી અને અવિચ્છિન્ન વૃદ્ધ પરંપરાથી સઘળીએ પૂનમો પર્વ તરીકે માનવી જોઈએ. ૧-૪૧ ટિપ્પણ-૨૬. છઠ્ઠું રિહીન અટ્ટાકિ, ઇ તિથી મન વાસરે .. किंवा कल्लाणगं अज्ज, लोगनाहाण संतियं ।।२१।। (શ્રાદ્ધદિનકૃત્ય, પૃ. ૩૯) ભાવાર્થ:- છ મહિનાના તપના કાઉસ્સગ્નમાં તપની વિચારણા માટે આ સૂત્ર ઉપયોગી છે. મહિનામાં છ તિથિ (સુદ અને વદની ૮-૧૪-૧૫-૧) ) આવે છે તેમાં આજે કઈ તિથિ છે, અથવા આજે જગત્મભુનું ચ્યવનાદિ શું કલ્યાણક છે? તે વિચારવું.” અહીં ઉપર્યુક્ત પ્રશ્નોત્તરમાં સર્વ પૂનમોને પર્વ તરીકે સ્વીકારવાનું ફરમાન છતાં એ ધ્યાન રાખવું કે પખી તો ચૌદશનીજ છે, તેમજ ચોમાસી પણ શ્રી કાલિકાચાર્યજીની આચરણાથી ચૌદશની જ છે. એટલે પૂનમ અમાસાદિની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે જોડીયા પર્વોને બહાને ચોથ ચૌદશ જેવી પ્રધાન તિથિઓને તોડવાની કલ્પના અને પ્રવૃત્તિ બીસ્કુલ ટકી શકે તેવી નથી. તથાપિ આજના પક્ષાંધ બનેલાઓ તેને જે નભાવી રહ્યા છે, તે જ ખરેખર આશ્ચર્ય જનક છે. જો કોઈ નવિનો કે પર્વલુપકો કે સંમૂર્છાિમ મતવાળાઓ હોય તો તત્ત્વથી તેઓ જ છે, એમ કોઈ પણ હિંમતથી કહી શકે તેમ છે. કારણકે પર્વોનો કલ્પિત ફેરફાર કરીને આરાધના કરવાનો અધિકાર કે આદેશ શાસ્ત્રો કે સામાચારીમાં ક્યાંય નથી. તિથિની ભોગ સમાપ્તિ જ્યાં થતી હોય ત્યાંજ તેની આરાધના કરવાનો શાસ્ત્રીય નિયમ હોવાથી પૂનમ વગેરેનો ક્ષય હોય ત્યારે ચૌદશ પૂનમ વગેરેની એક દિવસમાં આરાધના થાય, પૂનમ વગેરેની વૃદ્ધિ હોય ત્યારે પહેલી પૂનમ વગેરેને અપર્વ રૂપ રાખી બીજી પૂનમે આરાધના કરવી, ચૌદશ વગેરેને ખસેડવી નહિ, આ સનાતન વસ્તુ પૂનમના પર્વિપણાથી તલમાત્ર બાધ્ય થતી નથી. તથા–(ગ) સાવંડારી, નરિતિ મહાતિમૂર્વ પૂણ્યવિયરાયે, सव्वं पि निरत्ययं तस्स ||१|| आणाइ तवो आणाइ संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपूलु ब्व पडिहाइ ।।२।। कलं नग्घइ सोलसिं० इत्यादिवचनालम्बनेन साङ्ख्यादिदर्शनान्तरेषु यद्बालतपः-कष्टानुष्ठानं समाचरन्ति तत्सर्वं सर्वथा निष्फलमेव न काऽपि कर्मनिर्जरेति केषाञ्चित्संमतम् , ૨ ૫
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy