SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઃ- દીવાલીના ગણણાને આશ્રયીને પોતપોતાના દેશના લોકો જે દિવસે દીવાલી કરે તે દિવસે દીવાલીનું ગણણું ગણવું જોઈએ. ૪-૨૧-૨૫૧ ટિપ્પણ-૭૪. આ જ વસ્તુ મલતો ખુલાસા જીવનાર સ્વ. પરમ ગુરુદેવ સકંલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરીશ્વર વિરચિત શ્રી વિવિધ પ્રશ્નોત્તર ભા. ૨ નો પ્રશ્નોત્તર પપ, પૃ. ૮૩માં જુઓ. તેમાં લખ્યું છે કે “લોકો જે દિવસે દીવાલી કરે તે જ દિવસે આપણે જૈનોએ પણ દીવાલી કરવી (અર્થાતુ-દીવાલીનું ગણણું ગણવું.) પણ અમુક તિથિ અથવા નક્ષત્રના નિયમ નહિ સમજવો.” 'ચન્માવેનોવત્ત તંત્ર' મતલબ કે- જે તમે કહ્યું કે અમારે નહિ', આવી અનિચ્છનીય મનોદશાને આધીન બનતા આજે કેટલાક આ વિધાનનો પણ વિરોધ કરે છે અને સ્વાતિ નક્ષત્રના આગ્રહ રાખ રખાવે છે તથા લોકાએ જે દિવસે દીવાલી ન કરી હોય તે દિવસે દીવાલીનું ગણણું ગણે" ગણાવે છે; તેઓએ ભવભીર બનીને એ સમજવું જોઈએ કે એમ કરીને તેઓ શ્રી હીરસૂરિ મહારાજે પણ વિધાન કરેલી શાસ્ત્રાજ્ઞા અને સુવિશુદ્ધ પરંપરાનો ભંગ જ કરે છે, કે જે કરવું જરાય હિતાવહ નથી. तथा-प्रासादे ये केचन यतयः श्राद्धाश्च प्रतिमास्नपनकरणावसरे चैत्यवन्दना न कुर्वन्ति, ते चेत्थं कथयन्ति यदवस्थाहेतुना न क्रियत इति, इतरे च भगवतां काऽवस्था? इति यदा प्रासादे गम्यते तदा चैत्यवन्दना क्रियत इंति, तत्र किं प्रमाणम् ? इति प्रश्नोऽत्रोत्तरम्-प्रासादे प्रतिमास्नपनकरणावसरेचैत्यवन्दनकरणप्रतिषेधो જ્ઞાતો નાસ્તતિ II૪-૨૨-૨૬૨TI પ્રશ્ન - જિનમંદિરમાં જે કેટલાક સાધુઓ અને શ્રાવકો પ્રતિમાને સ્નાન કરાવવામાં આવતું હોય ત્યારે ચૈત્યવંદન કરતા નથી. તેઓ એમ કહે છે કે—પ્રભુને સ્નાન કરાવવામાં આવતું હોય ત્યારે ચૈત્યવંદનની અવસ્થા નથી હોતી માટે અવસ્થાના કારણે ચૈત્યવંદન કરાતું નથી. અને બીજા કેટલાક એમ જણાવે છે કે ભગવાનની વળી અવસ્થા શી? જ્યારે જિનમંદિરમાં જઈએ ત્યારે ચૈત્યવંદન કરી શકાય છે. આ બેમાં પ્રમાણભૂત શું છે? ઉત્તરઃ- જિનમંદિરમાં પ્રતિમાને સ્નાન કરાવવાના અવસરે ચૈત્યવંદન કરવાનો નિષેધ જાણ્યો નથી. ૪-૨૨-૨પર __ अथ द्वीपबन्दरसङ्घकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा देवगृहमध्ये पौषधिका यदा देवान वन्दन्ते तदेर्यापथिकीप्रतिक्रमणावसरे उत्तरासङ्गं कृतं विलोक्यते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-यदा देवगृहमध्ये पौषधिका देवान् वन्दन्ते तदेर्यापथिकीप्रतिक्रमणावसरे उत्तरासङ्गस्य कार्यं दृश्यमानं नास्ति, वृद्धा अपीत्यमेव कथयन्तः श्रुतास्सन्ति । किञ्च, ईर्यापथिकी देववन्दनक्रियामध्ये नास्ति, तेन देववन्दनायां क्रियमाणायामन्यदा च देवगृहमध्येऽवस्थितावुत्तरासङ्गं कृतं विलोक्यते, क्रिया तु विधिनैव भवतीति ||४-२३-२५३।। ૧૧૬
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy