SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય નહિ, એક ખડકી હોય તેનાથી પણ ગોચરી વહોરાવી શકાય નહિ, સુવાવડ ગમે ત્યાં થયેલી હોય છતાં તેના ઘરના માણસોથી સેવા પૂજા કરાય નહિ, સુવાવડી બાઈથી સવા સવા મહિના સુધી દર્શન પણ કરી શકાય નહિ, મરણ પ્રસંગે પણ કાંધ દીધી હોય, શ્મશાનમાં ગએલા હોય, શબને પણ અડચા હોય તો અમુક અમુક દિવસો સુધી પૂજા-સામાયિક-પ્રતિક્રમણ-વગેરે થઈ શકે નહિ, ઇત્યાદિ ધર્મકરણીમાં જ અટકાયત કરનારી કહેવાતી હાલની અનેક વિચિત્ર પ્રવૃત્તિને શાસ્ત્ર તેમ જ સુવિશુદ્ધ પરંપરાનો મુદ્દલ ટેકો નથી, તે ઉપરનો મૂલ પ્રશ્નોત્તર સ્પષ્ટ સાબીત કરી આપે છે આમ છતાં આજે કેટલાકો ખોટી પ્રવૃત્તિઓને પરંપરાના નામે ઉત્તેજન આપી શાસ્ત્રીય માર્ગને જનતામાંથી ભૂંસી નાખવાના નાદે ચઢેલા સૂતક વિષેના ભ્રમને પણ સુધારવાને બદલે ‘જૈન કોમ અભડાઈ જાય છે.' એવી ધા નાખીને પોતાની અધમ મનોવૃત્તિનું તાંડવ કરે છે, તેમનાથી ખપી જીવોએ કદી ઊંધે માર્ગે દોરાવું નહિ. આ સાથે આ વિષેના શ્રી સેનપ્રશ્નના ૪૨૪ વગેરે પ્રશ્નોત્તર પણ મેળવી જોવાની અમો વાંચકોને ભલામણ કરીએ છીએ, અને ઈચ્છીએ છીએ કે તેઓ સૂતકના નામે સેવા પૂજાદિ શુભ કરણી, કે જે શાસ્ત્રાધારે સ્નાન કરીને શુદ્ધ થવાથી સુખેથી કરી શકાય છે, તેનાથી પોતે અટકીને કે અન્ય કોઈને અટકાવીને મહાઅંતરાય કર્મનું પાપ ન બાંધો. अथ देवगिरिसङ्घकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा पाक्षिकप्रतिक्रमणे गीतार्थेः क्षामणावसरे "नित्थारपारगा होंह" इति कथ्यते तदा श्रावकादिभिरपि किमेतदेव कथनीयम् ? उत "इच्छामो अणुसट्ठि " इति प्रश्नोऽत्रोत्तरम्-श्रावकादिभिः 'इच्छामो अणुसडिं" इत्येव कथनीयं न तु ''નિત્યારપારા હોઠ‘‘ તિ ||૪-૧૬-૨૪૬।। પ્રશ્નકાર દેવગિરિનો શ્રી સંઘ પ્રશ્ન:- પખ્ખી પ્રતિક્રમણમાં જ્યારે ખામણાના અવસરે ગીતાર્થો ``નિત્યારપાર હોદ્દ’’-‘તમે સંસારનો નિસ્તાર અને પાર પામનારા થાઓ,' આમ કહે છે ત્યારે શ્રાવક વગેરેએ પણ શું આ જ કહેવું જોઈએ કે ``ચ્છામો અનુસઢુિં''-‘હું આપની શિખામણને ઈચ્છું છું,' એમ કહેવું જોઈએ? . ઉત્તરઃ- શ્રાવક વગેરેએ ``ફ્ôામો ગણુસáિ'' એટલું .જ કહેવું જોઈએ, પરંતુ ``નિત્યારપારા દો’’ એમ ન કહેવું જોઈએ. ૪-૧૯-૨૪૯ तथा - पाक्षिकप्रतिक्रमणपर्यन्ते गीतार्था यस्य शान्तिकथनादेशं ददति स श्रावकः दुक्खक्खयकम्मक्खयनिमित्तं काउस्सग्गं चतुर्लोगस्सप्रमाणं कृत्वा प्रकटमेकं च कथयित्वा शान्ति कथयति कथनानन्तरं पुनरपि पञ्चदशलोगस्सकाउस्सग्गं विधाय प्रकटमेकं च कथयित्वा पौषधं पारयतीति केचन कथयन्ति । केचिच्च यस्य शान्तिकथनादेशो दत्तो भवति स चतुर्लोगस्समानं काउस्सग्गं कृत्वा प्रकटमेकं च कथयित्वा शान्ति कथयति पश्चात्पौषधं पारयतीति कथयन्ति । अनयोर्मध्ये यो विधिः प्रमाणं स प्रसाद्य इति प्रश्नोऽत्रोत्तरम् - पाक्षिकप्रतिक्रमणे शान्तेः : " ૧૧૪
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy