SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 45 , હૃદય નયન નિહાળે જગધણી 卐 મુક્તિધામને પામવાના માર્ગને કેમ કરી વિચારી શકે, ને તે માર્ગે કેમ ચાલી શકે ? પરંતુ યોગીરાજજીએ પ્રથમ શ્રી ઋષભદેવ તીર્થંકર ભગવંત સ્તવના દ્વારા જાતને અને આપણ સહુને આત્માના પરમાત્મસ્વરૂપનું લક્ષ બેસાડ્યું છે અને તેથી કરી આ પંક્તિના ગાનથી પરમાત્મસ્વરૂપ પ્રાગટ્યના પંથની અભિલાષા જગાવી રહ્યાં છે. ચરમ નયણ કરી મારગ જોવતા રે, ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર..પંથડો..૨ પાઠાંતરે ‘ચરમ'ની જગાએ ‘ચર્મ’, ‘નયન’ની જગાએ ‘નયણે’, ‘જોવતાં’ની જગાએ ‘જોવતો’, અને ‘ભૂલ્યો’ની જગાએ ‘ભૂલો’ છે. શબ્દાર્થ : સ્થૂળ ચર્મચક્ષુથી માર્ગને જોવા જતાં સંસાર આખો ભૂલો પડી ગયો છે-ભૂલથાપ ખાઈ ગયો છે. જે નયનથી મારગ જોઈ શકાય એમ છે તે નયનો તો દિવ્ય હોવા જોઈએ એ તું જાણ. અથવા તો દિવ્યવિચાર એટલે કે દિવ્યજ્ઞાનરૂપ દિવ્ય નયનોથી જ આ માર્ગ જોઇ જાણી શકાય તેમ છે. પણ બીજી કોઈ રીતે નહિ. લક્ષ્યાર્થ-વિવેચન : પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિનો સાધનામાર્ગ જોવો છે. એ જોવાને માટે સાધન જોઈએ. વાસ્તવિક, મૌલિક પરિસ્થિતિ તો એવી હોવી જોઈએ કે જે જોનારો અને જાણનારો જ્ઞાતા-દૃષ્ટા આત્મા છે, તેણે પોતે પોતાવડે એટલે કે આત્માએ આત્મા વડે જોવું જોઈએ. પરંતુ અજ્ઞાનના યોગે આત્મા એના મૂળ શુદ્ધસ્વરૂપમાં નથી, તેથી વર્તમાને તે શક્ય નથી. આત્મા એના સ્વ-ભાવમાં નથી પણ વિભાવમાં છે. એ વિભાવમાં હોવાથી એને જે જોવાનું સાધન આંખ એટલે કે ચર્મચક્ષુ સંસાર પર્યાયમાં છે. મોક્ષમાર્ગ અને મોક્ષ પણ પર્યાયમાં છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy